SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મÀષને જ કારણે કુટુંબને લાગેલે ફટકે હતું. તેણી ખૂબસૂરત બુદ્ધિશાલિની, ઉપરાંત પતિકતા અને સાસુસસરાને પણ વિનય સાચવનારી હતી. તેણીને દાન આપવામાં ખૂબ રસ હતો. એકવાર શ્રાધ્ધનો દિવસ હોવાથી, દેવભટ્ટના ઘેર મોટા પ્રમાણમાં ખીર બનાવી હતી. અને ઘણું સગાંઓને જમવા નિમંત્રણ આપ્યું હતું. આ વખતે અંબિકાને વિચારે આવ્યા કે, કેઈ સુવિહિત તપસ્વી વહોરવા પધારે તો, દાન આપી મારો જન્મ સફલ બનાવું. કારણકે, આજે મારા ઘેર ઘણા મોટા પ્રમાણમાં, મહેમાને જમવાના હેઈ, દૂધપાક પણ ઘણે બનાવ્યો છે. સુશ્રાવિકા ભાવના ભાવે છે, એટલામાં કેઈમાસોપવાસી, મહામુનિરાજ વહોરવા પધાર્યા અને અંબિકાએ પણ ઘણુજ આદર-બહુમાન અને ભકિતથી મુનિરાજને પડિલાભ્યા. (નિર્દોષ આહાર પહેરાવ્યો.) આ વખતે અંબિકાના સાસુ-સસરા અને પતિ, સ્નાન કરવા જલાશયે ગયા હતા. અંબિકાને સિદ્ધ અને બુદ્ધ નામના બે નાના બાળકો પણ હતા. આ મુનિને આપેલું દાન, એક નિર્ભાગ્યવતી પડેાસણ જોઈ ગઈ. અને ઉચ્ચ સ્વરે બૂમો પાડીને કહેવા લાગી, અરેરે, આ પુત્રવધૂ બિલ્કલ વહેવારની અજાણી છે. આપણું બ્રાહ્મણને આચાર સમજતી નથી. આજે શ્રાધ્ધને પવિત્ર દિવસ છે. આજે તે હજી પિતૃઓને તૃપ્ત પણ કર્યા નથી. ત્યાં કઈ મલિન વસ્ત્રવાળાને દાન આપીને, આપણું અનાજ અભડાવી નાખ્યું. આમ કરવાથી અંબિકાએ ઘર, શ્રાધ્ધ અને રાંધેલું અનાજ, ત્રણેને અપવિત્ર બનાવી નાંખ્યાં. " તેટલામાં અંબિકાની સાસુ અને પતિ સોમભટ્ટ ઘેર આવ્યા, અને પડોસણ પાસેથી ઉપરની વાત સાંભળી. તેથી માતા-પુત્ર અને અંબિકા ઉપર ખૂબ ઉશ્કેરાઈ ગયા. અને દેવિલા (સ્વમાતાની પ્રેરણાથી)ના વચનથી સોમભટ્ટ અંબિકાની નજીક મારવા માટે ધસી આવ્યું. અને ખૂબ આંખે ચડાવીને, મારવાને દેખાવ કરીને બે, હમણું ને હમણાં મારા ઘરમાંથી ચાલી જા, અને હવે કયારે પણ પાછી આવીશ નહી. દેવિલાની પ્રેરણા અને પતિને આવેશ જોઈને, સાંભળીને, અંબિકા ગભરાઈ ગઈ તેથી પિતાના બે પુત્રને સાથે લઈ, એક બાજુના બારણેથી નીકળી ગઈ. નાશી છુટી. નારી અવતારને ધિક, નારી ખૂબ મેટાં, માતા-પિતાની દીકરી હોય, ખૂબસુરત હોય, વિનય-વિવેક ખુબ હોય પતિની સેવા કરતી હોય, પરંતુ પતિ જે નાલાયક, ક્રોધી, અભણ, અલ વગરને, બં, બેડેળ, બેહોશ, બડેખાં, બુડથલ મળ્યું હોય તે, બિચારી રેઈને જીવન પુરું કરે છે. નારી ભેગ આપે છે, પરિવાર આપે છે, સેવા આપે છે, તો પણ બિચારી સીદાતી રહે છે. વાંચો મૂરખ, અજ્ઞાની, ભાન વગરને, પૂરણ પશુ અવતાર પત્ની પ્રેમ જાણે નહીં જરીએ, ભૂંડ મા ભરતાર ધણી જેને હેય નહીં શાણે, જીવન તેનું વાંઝિયું જાણો. ચોર-જગારી ને જઠાબોલો, વેશયાગામી ને જાર. કૃત્યાકૃત્યમાં ભાન વગરને, રૂઠ સાવ કિરતાર બાઈઓ જેને નાથ નહીં સારે, જાણે તેને વ્યર્થ જન્મારો. શીલવતી, ગુણવતી રૂપાળી, વિનય વિવેકની ખાણ સતી નારી પણ દુષ્ટ પતિના પામે ઘણુ અપમાન સ્વામી જેનો હોય નહી શાણે, જીવન તેનું વાંઝિયું જાણે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy