SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચાર્યાંના ગ્રંથાને અપ્રમાણિક ઠરાવનારા, જિન પ્રતિમા અને જૈનચૈત્યાનું દર્શીન પૂજન વંદન સ્તવનનું ખંડન કરનારા જિનાજ્ઞાના ઉત્થાપક સમજાય છે. પ્રશ્ન : આજ્ઞા આરાધવામાં પણ ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પણ જ્ઞાની ભગવંતાએ બતાવ્યા છે ને ? આ કાળના જીવાચેાથા આરા જેવું સાચવી પાળી ન શકે તેા, તેવાઓને, આજ્ઞાલાપક તા કહેવાય નહીં જ ને ? ઉત્તર : કસ્તને અવવાય બાયરમાળોવાળો દો, अववाये पुण पत्ते, उस्सग्ग निसेविओ भइओ ॥ १ ॥ અર્થ : ઉત્સગ = કશી પણ છુટછાટ વગરનું, દોષ વગરનું ચારિત્ર પાળવું તેને ઉત્સર્ગ કહેલા છે. અને કારણે દોષ લગાડીને પણ, મૂલ જુણેાને સાચવી રાખવા, તેને અપવાદ કહેવાય છે. આ જગ્યાએ કારણ વિના પણ દોષ સેવાય તેા, વિરાધના થાય છે જ. અને કારણ આવી જાય, રાગાઢિકારણ, અથવા લાંખા વિહારોમાં, નિરૂપાય દોષ સેવવા પડે તેવુ' હાવા છતાં પણ દોષ સેવવામાં, અપવાદ લગાડવામાં, ઢીલું મૂકે જ નહીં. તેવા વખતે આરાધક થાય પણ ખરા, વખતે મહાવિરાધક પણ થઈ જાય. પ્રશ્ન: અપવાદ પ્રાપ્ત છતાં ઢીલું ન મૂકે, અપવાદ ન સેવે, દોષ લાગવા દે નહીં, તેને વિરાધના કેમ લાગે ? ઉત્તર : કાઈ માટી માંદગી હાય, ઔષધાદિ ન સેવાય તે રોગ વધી જાય, વખતે મરણ થઈ જાય. આધ્યાય વધી જાય. મોટા લાંબા વિહાર હૈાય. આહારપાણી મળે જ નહીં તો અકાલ મરણ થાય. આવા પ્રસંગે એછામાં એછા દોષ લગાડીને, આપત્તિને પાર ન કરી લે તે, મેાટી વિરાધના થાય. પરંતુ સામાન્ય કારણ દેખાય અને અપવાદ ન સેવે તે વિરાધના ન પણ થાય, માટે શાસ્ત્રોના જાણ, વહેવારના જાણુ, અવસરના જાણુ, જીવ વિશેષને ઓળખનારા ગીતાર્થીની આજ્ઞા પ્રમાણે કરવુ. ભવનાભિરૂ જ્ઞાનીનેા આશરા લેવા. પરંતુ શાસ્ત્રના અજાણુ હાય, શાસ્ત્રો વાંચવા છતાં નાસ્તિક જેવા હાય, શિથિલાચારી હાય, પડવાઈ હાય, આલેાકપરલેાકના ભય વગરના હૈાય, તેવા ભણેલાઓને ગીતા માનવા નહીં. એવા સ્વયં ખુડે છે. અને આશ્રિતાને બુડાડે છે. પ્રશ્ન : કારણ વિના પણ અપવાદ સેવાય છે, એવું બને ખરું. વિના કારણ દોષ કેમ સેવાય ? ઉત્તર : જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે 7 તં ર્િ છિતા નોતિ, સંસે કરે अप्पणिआ दुरप्पा | અર્થ : આ જગતમાં કંઠના છેદનાર શત્રુએ કે, ઝેર પીવરાવનારા, ગળે ફાંસ આપનારા, અથવા નદી કે દિરયામાં ફેંકી દેનારા, શત્રુએ જીવનું જેટલુ ખરાબ કરે છે, તેનાથી પણ અનેકગુણું, આત્માની પોતાની મૂર્ખાઈ બગાડે છે, ભૂડુ કરે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy