SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ ધ્રુવડા પ્રકાશને દેખી શકતા નથી, તેમ મિથ્યાત્વ સત્યને જોઈ શકતું નથી. ૫૯૫ વિદ્યમાન હેાવા છતાં, બીજો પક્ષ કેમ સમજતા નથી ? આ બધા પ્રમાણિક ગ્રન્થા, આગમે અને શાસ્ત્રોની વાતો કેમ નહીં સમજાતી હૈાય ? ઉત્તર : ભાઈ ! કાળ અનતા ગયા છે. અનંતી ચાવીસી, અને વીસીએ જિનેશ્વર દેવા થયા. અને સજ્ઞતા પામીને, દેશાના ખૂણેખૂણે ફરીને ઉપદેશ આપ્યા. સંશય ટાળ્યા. પરંતુ જગતનું અજ્ઞાન નાશ પામ્યું નહીં. સાક્ષાત કેવલી ભગવાનનાં વચન સાંભળનારે બિચારા કાળ શૌકરિક સમજ્યા નહીં. અને સુધર્યાં નહીં, તે તેના અભવ્યપણાને આભારી છે. અનાદિકાળથી સૂર્ય ઊગે છે. પરંતુ ઘુવડની નાતને, સૂર્યની ખબર જ નથી. એક નાનકડી કથા. એક દેશમાં, એક મેટા જંગલમાં, હજારા વનુ પુરાણું એક વડનું ઝાડ હતું. વડના થડની પેાલાણમાં, અને ઝાડ ઉપર હજારો ઘુવડે વસતાં હતાં, ત્યાં ઘેાડાં ઘણાં બીજા પક્ષીએ પણ રહેતાં હતાં. કોઈકવાર ઘુવડ સિવાયના, ખીજા પક્ષીઓના સમુદાયેામાં, પેાતાની ભાષામાં વાતા થાય. તે વખતે કાઈ કાઈ જુવાનીયા ઘુવડા, કુતૂહલથી કાન માંડી સાંભળે, બીજા પક્ષીઓ પરસ્પર વાતા કરે છે. આપણે ક્યારે ઉડવાનું છે? કઈ દિશામાં જવાનુ છે? વડીલ પક્ષીના ઉત્તર ઃ સૂર્ય ઉગ્યા પછી, પૂર્વ દિશામાં ઉડવાનુ છે. આવા બીજા પક્ષીએના વાર્તાલાપ સાંભળીને, નાના ઘુવડા ઘરડા ઘુવડને પૂછે છે. આ લેાકેા હુ ંમેશ સૂર્ય ઉગ્યાની, અને પૂર્વ દિશામાં ઉડવાની વાતા કરે છે. તે શુ સાચી છે? ઘરડા ઘુવડના ઉત્તર ઃ ભાઈ! આપણી હજારી પેઢીએ ગઈ. અમારા વડીલ, તેના વડીલ, અમે પાતે અમારી સાત પેઢીએ નજરે જોઈ છે. પરંતુ કોઈવાર અમે સૂર્યને ઉગતાં જોયા નથી. આવું આ જૂઠાણું કોણે ઉભું કર્યુ છે ? “ઘણેા ગયા છે કાળ, પણ કાઈ એ ક્યારે કદી, સૂરજ જેવી જાત, દીઠી કે જાણી નથી,” ૧ “ મારી ઉંમર આજ, વર્ષ સેંકડુ વહી ગયું, પણ સૂરજનું નામ, ક્યારે કેાઈએ નથી કહ્યું.” ૨ "6 “સૂર્ય ક્યારે હતા નહી, હાઈ શકે પણ કેમ? પણ નર વાનર જાતમાં, આવા ખાટા વહેમ.” ૩ પણ જાણવા જેમ ઘૂવડની જાતને, જગજાહેર, શાશ્વત વસ્તુ, સૂર્ય જેવા, પ્રકાશ આપનાર પદાર્થ, જોવા કે મળ્યા નથી, તે ખિચારા ઘુવડના વાંક નથી. પરંતુ તેના જાતિ સ્વભાવ જ દિવસે અંધાપા રહેવાથી, સૂર્ય ઊગે ત્યારે તેની આંખા ખીડાઈ જાય છે. તેથી તે બિચારાને, પ્રકાશ કે સૂર્ય જોવાનું મળતું નથી. તેમ સ્વભાવસિદ્ધ મહામિથ્યાત્વને ઉદય, તદ્ન સાચી અને સાક્ષાત વસ્તુ પણ જોવા કે આળખવા દેતા નથી.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy