SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનતીર્થોની પ્રાચીનતાનાં પ્રમાણા ૧૮૯ અર્થ : ભગવાન મહાવીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળીને, ગૌતમસ્વામી મહારાજ, અષ્ટાપદ પવ ત ઉપર, જિનેશ્વરદેવાના કારણુવંદન કરવા ગયા હતા. તથા હમણાં કેટલીક અલભ્ય પણ, શાસ્ત્રામાં લખાયેલી પ્રતિમાનાં વર્ણના, મળે છે. જેમકે શત્રુ જયપતની સુવર્ણ શુઢ્ઢામાં, આદીશ્વરસ્વામીની હજારા પ્રતિમાજી આજે પણ વિદ્યમાન છે. તથા ગિરનારપતની કાંચન અલાહક ગુફામાં, નેમનાથસ્વામીની સે’કડા પ્રતિમાજી હાલ વિદ્યમાન છે. પ્રશ્ન : આ બધા સ્થાને પ્રતિમાની પૂજા કાણુ કરતું હશે ? ઉત્તર : ચારનિકાયના દેવા અને દેવીએ. તથા વિક્રમની ખીજી સદીમાં, આબુતી ઉપર, શ્રીઋષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા, પન્નરમા પટ્ટધર, ચંદ્રસૂરિ, નાગેન્દ્રસૂરિ નિવૃ`તિસૂરિ, અને વિદ્યાધરસૂરિમહારાજોના હાથે થયેલાનાં ઈતિહાસિક-પ્રમાણેા છે. ઇતિ ઉપદેશસાર અને અદગિકિલપ તથા આખુ ઉપર ૧૦૮૮ માં વિમલશાહે છત્રીસમા પટ્ટધર, અને નવાંગી ટિકાકાર અભયદેવસૂરિના દાદાગુરૂ, વ માનસૂરિના હાથે, પ્રતિષ્ઠા કરાવ્યાના પ્રમાણેા છે. તથા તેજ આમુગિરિ ઉપર, વસ્તુપાલ તેજપાલે ૧૨૮૭ માં, નાગેન્દ્રગચ્છના આચાય, વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. બીજા પણ ઘણા ગીતા જૈનાચાર્યાંની હાજરી હતી. ૧. તથા શત્રુંજય મહાતીર્થાંમાં, પાંચમા આરામાં થયેલા ઉદ્ધારા, પણ ઐતિહાસિક છે. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણુથી, ૫૭૮ અને વિક્રમ સંવત ૧૦૮મા વર્ષે, ભગવાન વસ્વામીના ઉપદેશથી જાવડશાહે. શત્રુજયના ઉદ્ધાર કરાવ્યેા છે. ૨. તથા વિક્રમ સંવત ૧૨૧૩ ની સાલમાં, હેમચ'દ્રસૂરિમહારાજના ઉપદેશથી પરમા ત કુમારપાલમહારાજાના મહામાત્ય માહડમત્રીએ, લાખાની સખ્યા ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં. શત્રુંજય મહાતીના ઉદ્ધાર કરાવ્યો છે. ૩. તથા ત્યારપછી બહુ ઘેાડા કાળમાં, અલાવદીન ખૂનીના સુબાની ફાજના જુલ્માગારથી, તીર્થોના નાશ થયા, તેથી તેજ સુખા સાથે મિત્રાઈ કરીને, ખાદશાહ તથા સુખાની પરવાનગી અને સહાય મેળવીને, વિ. સ’. ૧૩૭૧ માં, દેશળશાહના પુત્ર સમરાશાહે ઘણા આચાર્ય ભગવંતા અને શ્રીસંઘેાની હાજરીમાં શત્રુજયમહાતી ના ઉદ્ધાર કરાવ્યેા છે. ૪. તથા વળી, ૨૧૬ વર્ષના ગાળામાં ધર્મના દ્વેષી, અટકચાળા મુસલમાના વડે, તીનું પતન થવાથી, ચિતાડગઢના વતની, અને અમદાવાદના બાદશાહ બહાદુરશાહના પરમ મિત્ર કર્માશાહે (તાલાશાહના પુત્રે) વિ. સ'. ૧૫૮૭ ના વૈશાખ વદી ૬, શત્રુંજયમહાતીર્થ ના ઉદ્ધાર, ઘણા આચાર્યાં અને મેાટા સ'ધ સમુદાયની હાજરીમાં કરાવ્યો છે. તથા ભરૂચમાં શ્રીમુનિસુવ્રતસ્વામીનું અધાવબાધ તીર્થં થયું છે. તેના ઘણા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy