SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હતા. તેમના પિતામહ અનરણ્યરાજા, જેમનું ઉર્ફ નામ અજયપાલ પણ હતું. તેઓ સાકેતનગર (અયોધ્યા)ના ત્રણ ખંડના ભક્તા રાજવી હતા. અજયરાજાને રાજ્ય ભોગવટાનાં કેટલાંક વર્ષો દયા પછી, તેમનું શરીર ઘણા રોગોથી ઘેરાઈ ગયું હતું. તેમાં પણ કઢના મહારોગથી તેઓ ખૂબજ પરેશાન થયા હતા, અજયરાજના રોગ પ્રતિકાર માટે પ્રધાને એ મોટાં મોટાં ઈનામની જાહેરાત કરી, સ્વદેશ પરદેશથી ઘણું વૈદ્યોને બોલાવી, મહારાજાની ચિકિત્સા કરાવી હતી. પરંતુ ઘણું રેગો પૈકી એક પણ રોગ શમ્યા નહીં. એકવાર જૈનધર્મી મહાત્માત્યની સલાહથી, રાજા સિદ્ધગિરિ ગિરનાર અને ચંદ્રપ્રભાસ આદિ તીર્થોની યાત્રા કરવા ગયે. રાણીઓ વિગેરે પરિવાર ઉપરાંત ઘણું સિન્ય પણ સાથે હતું. યાત્રા કરતાં કરતાં દીવપત્તર ( દીવબંદર) પહોચ્યા. અને થોડા દિવસ શાન્તિ લેવા, સ્થિરતા કરી રહેવા લાગ્યા. હવા-પાણી પણ સારાં હતાં. - આ જ અરસામાં, એટલા નજીક કેઈ શહેરને વહાણ વેપારી, રત્નસાર નામને શેઠ, દરીયાની મુસાફરી કરતે, દીવપત્તન નજીકના દરીયામાં આવ્યો. અને મહાવંટેળ સરૂ થયા. વહાણ ડુબવાની અણી પર આવી ગયાં. રત્નસાર ગભરાય. મનમાં પિતાના અભી ષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. દેવનીસહાય આવી નહીં, તેથી વિચાર્યું કે આજેજ ડી. વારમાં વહાણના નાશ સાથે, મારે પણ અવશ્ય નાશ થસે, અથવા બચી જાઊં તે પણ સામગ્રીભ્રષ્ટને જીવવાથી પણ લાભ શું? ઉપદ્રવથી મરવા કરતાં, બહાદુરીથી મરવું તે જ વ્યાજબી છે. આંશુ-ભય-ઉચાટથી, મરનારા નહિ પારા પણું બહાદુરીથી મરે, તેવા નર બે–ચાર ” રેઈ મરે રોકે ઘણુ, દુર્બાને બહુ લોક પણ આરાધન આચરી, મરતા સજજન કોક' છે આવા વિચારોથી આરાધના કરીને, વહાણે બુટ્યા પહેલાં, સમુદ્રમાં ઝંપાપાત કરીને, સેઠ મરી જવા તૈયાર થઈ ગયે. તેટલામા પાર્શ્વનાથ સ્વામીના તીર્થની રક્ષણ કરનારી, પદ્માવતી દેવી પ્રગટ થયાં. અને વહાણોને ઉપદ્રવ હરી લીધો. શેઠજીને સાહસ કરતા અટકાવ્યા, અને કહ્યું “વત્સ સાંભળ! આ દરીયાના તળીએ, કલ્પવૃક્ષના પાટીયાથી બનાવેલી, મહામૂલ્ય પેટીમાં, ઘણી પ્રાચીન અને મહાપ્રભાવવતી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે. તેને તું પિતાના માણસો દ્વારા મારા પ્રભાવથી બહાર કઢાવજે. અને અધ્યા નગરીથી તીર્થયાત્રા કરવા નીકળેલા, હાલ આંહી દીવપત્તનમાં વસેલા, અજયપાલ રાજાને આ પ્રતિમા ભેટ આપજે. પ્રતિમાજીના
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy