SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેથી રાજારાણીના ચિંતા, અને ખેદમય, દિવસેા જતા હતા, એવા સમયમાં પાટલીપુત્ર શહેરના ઉદ્યાનમાં, ચાર જ્ઞાનના ધારક, ધ ઘાષ નામના આચાર્ય ભગવાન પધાર્યાં. ઉદ્યાનપાલકે વધામણી આપી. રાજારાણી, પરિવાર સહિત વંદન તા ગયાં. પંચ-અભિગમે સાચવી વ્યાખ્યાન સાંભળવા બેઠાં. ૫૨૮ પ્રશ્ન : અભિગમ એટલે શું ? સાચવીને બેઠા એનેા ભાવ શું ? ઉત્તર : અભિગમના બે પ્રકાર છે. અહિં રાજાએના અભિગમ પહેલા બતાવાય છે. " खग्गं दत्तो वाणह मउडं चमरे अ पंचमए ।” અર્થ : મુકુટ શિર ઉપરથી ઉતારીને હાથમાં રાખે છે. પેાતાની ઉપર છત્રર ધરાવે નહિ. ચામર વિંઝાવે નહિ. હથિયારને સાથે રાખે નહિ. મેાજડી મખમલની હાય તે પણ ત્યાગપ કરે છે. તથા સ સામાન્ય અભિગમે પાંચ પ્રકારના છે. સચિત્ત' દ્રવ્યેા પાસે ન રાખવાં. અચિત્ત વસ્તુ અક્ષતાર વગેરે પાસે રાખવાં. શરીર ઉપર ઉત્તરાસન રાખવું, પ્રભુ દેખાય ત્યાંથી બે હાથ જોડવા અને ચિત્તનેપ એકાગ્ર બનાવવું. પ્રશ્ન : સચિત્ત દ્રવ્ય પાસે ન રાખવા તેા પછી, જિનમદિરમાં ભેટ મૂકવાનાં શ્રીફળ વગેરે કળા પણ ન રાખવાં એમ ખરું ને ? ઉત્તર : પેાતાની ડાકમાં પુષ્પના હાર; માથામાં કલગી, હાથમાં છડા, આવુ સ્વભાગ્ય સચિત્ત અચિત્ત કાંઈ રાખવું નહિ. પરંતુ જિનાલયમાં ધરવા માટે શ્રીફળ વગેરે ફળા અને માલતી, જાઈ વગેરેના હાર છડા ગજરા રાખવાનો નિષેધ જાણવા નહિ, પરંતુ અહીં ગુરુ પાસે જવાના પ્રસ્તાવ છે તેથી સ્વભાગ્ય સચિત્ત વસ્તુ ન રાખવી એમ સમજવું. ગુરુમહારાજની દેશના થઈ. પછી રાજા અમરદત્તે ગુરુમહારાજને પૂછ્યું : હે જ્ઞાનદિવાકર ! પ્રાણથી પણુ વહાલા એવા મારા મિત્ર મિત્રાન ંદના, સમાચાર મળતા નથી, તેથી મારા ચિત્તને જરા પણ ચેન પડતું નથી. માટે કૃપા કરીને કહેા કે મિત્રાનંદ અહિંથી ગયા પછી, તેનું શું થયું ? ને કહેા કે હાલ તે મારા મિત્ર કથાં છે તે કહેા ? જ્ઞાનીગુરુ અમરદત્ત રાજવીના પ્રશ્નના ઉત્તર આપે છે: હે રાજન ! મિત્રાનંદ વગેરે અહિથી સન્માગે ચાલતાં, પાણીવાળા રસ્તા ઉલ્લધીને, સપાટ રસ્તે પર્યાણ કરતા હતા. રસ્તે ચાલતાં પતાની હારમાળા આવી, તેમાં એક નદીના કિનારે મિત્રાનંદ વગેરે ભાજન કરવા બેઠા હતા. એટલામાં કલ્પના પણ આવ્યા વિના એક મેાટી જિલ્લ લેાકેાની ધાડ આવી. તેમણે મારઝુડ અને લુટ શરૂ કરી. તે વખતે તમારા શૂરાં સૈનિકેાએ, પ્રબળ સામના કર્યો. પરંતુ ફાવ્યા નહિ કારણ કે ભિટ્ટો પુષ્કળ હતા, તેથી સૈનિકે કેટલાક મરાઈ ગયા, કેટલાક નાસી ગયા. મિત્રાનંદ મહા ખળવાન હાવા છતાં ફાવ્યો નહી.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy