SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ જિનશ્વરદેવની આજ્ઞા થાને સાચી માણસાઈ “ લક્ષ્મી ને નારી ઘણી, બહુ સેવક પરિવાર । પુણ્ય ઘટે, પાા વધે, તે તે નરકે જાય, પરંતુ જગતના ઉત્તમેાત્તમ આત્માઓ, જિનેશ્વર દેવાના જીવા, સમ્યક્ત્વ પામે ત્યાંથી ઉત્તરાત્તર ગુણાને કમાતા કમાતા ઉંચા ચડે છે. તેમના બધા ભવા, પ્રાણીમાત્રનું હિત ચિંતવવામાં તદ્દીન હેાય છે. પ્રત્યેક ભવામાં પ્રાયઃ ચારિત્ર પામે છે. નિર્મળ, અને નિરતિચાર આરાધે છે. છેલ્લાના આગલ ત્રીજા ભવે ચારિત્ર પામી, વિશસ્થાનકે અથવા એક બે સ્થાનકો આરાધીને મહાપુણ્ય જિનનામક નિકાચે છે. ત્યાંથી, અનશનાદિ ઉત્તમ આરાધનાએ મરણ પામીને, વચમાં એક દેવને ભવ કરીને, છેલ્લા ભવે તીર્થંકર પરમાત્માપણે અવતરે છે. વળી તીથંકર દેવા, જન્મે ત્યાંથી મેાક્ષ પધારે ત્યાં સુધી, તેમને ઉદય થયેલાં પુણ્યા પણ પ્રાણીમાત્રનું ભલું કરવા માટે જ હાય છે. તથા તેમને મળેલા રાજ્ય, લક્ષ્મી, પત્ની, પિરવારનાં સુખા પણ લુખા પરિણામથી, રાગ દ્વેષ વિના ભોગવાય છે. પછી જ્ઞાનથી ભાગકના ક્ષય જાણી, સર્વસ્વનો ત્યાગ કરી, દીક્ષા પામી, ઘાર તપ, ઉપસર્ગા, પરિષહા ભાગવી, અનિત્યાદિ અને મૈત્ર્યાદ્રિ ભાવનાએ ભાવી, ઘાતીકમનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, લાખા, ક્રાડા જીવાને પાપમુક્ત અને દુઃખમુક્ત બનાવી, ગણધરા આદિ હજારો અથવા લાખા, સુશિષ્યાને મૂકી મેાક્ષ પધારે છે. તેમના ગણધરાદિ શિષ્યા પણ કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી અને સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્ર તપની ખાણુ જેવા હેાવાથી, હજારા, લાખા, કાડા, પેઢીએ સુધી મેાક્ષમાર્ગ ચાલુ રહે છે. ૫૦ લાખ કોટિ સાગરોપમ, ૩૦ લાખ કોટિસાગરોપમ વગેરે ઘણા લાંખા કાળ સુધી તી ચાલે છે. તેથી અસંખ્યાતી પેઢીએ તીથ કર દેવનું તી ચાલે છે. આંહી જિનેશ્વર દેવા, ગણધર દેવા, અને તેમની પર પરામાં થયેલા કેવલ જ્ઞાનધારી વગેરે જૈનાચાર્ય, ગુણ અને પુણ્યથી જગતનું ભલું કરનારા હૈાવાથી, પહેલા નંબરના મહાપુરુષે જાણવા. તે જ તીથંકર દેવાના તીથમાં, કેટલાક મહાપુરુષો ક ખપાવી, કેવળજ્ઞાન પામવા છતાં, મૂક કેવલી હાવાથી, મહાગુણી હાવા છતાં, તીથંકર દેવા જેવી પુણ્ય સામગ્રીને સાથે ન હેાવાથી, પાપકાર કરી શકતા નથી માટે તેએ ખીજા નંબરના મહાપુરુષ જાણવા. તથા ત્રીજા પ્રકારના મહાપુરુષા, જેએ શ્રી વીતરાગ શાસન પામી, સમ્યક્ત્વાદી ઉત્તમ ગુણા પામી, ભવસ્થિતિ પરિપાક ન થવાથી સંસારમાં વસવા છતાં, દેવ અને મનુષ્યના ભવા પામી, પ્રત્યેક મનુષ્ય ભવમાં સÖવરિત અથવા દેશિવરિત પામીને, ભવેાભવ શાસન પ્રભાવનાએ કરીને, પ્રાન્ત તીર્થંકર અથવા સામાન્ય કેવળી થઈ મેાક્ષ પધારે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy