SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પરંતુ પુરુષનેકર ( દુકાનમાં રાખે) ઘરમાં રાખે નહીં. આવી વાતો તદ્દન સાચી છે. આજે ચાલુ સ્વચ્છંદતાના જમાનામાં, આવા જ બનાવે હજારે કે લાખો બની રહ્યા છે. માટે પ્રત્યેક બુદ્ધિમાને, પોતાનું ઘર અને કુટુંબ સંભાળવું પોતાની ફરજ છે. “જગ સઘળું નિજ સ્વાર્થમાં, સદા રહે મસ્તાન ! સ્વાર્થ નાશ થઈ જાય તે, થાય તુરત દુમાન.” કઈ ચીજ વહાલી નથી; વહાલો સૈને સ્વાર્થ ધર્મ જિનેશ્વરદેવને, જ્યાં કેવલ પરમાર્થ.” મહાપુરૂષે પણ કહી ગયા છે કે– “તારે કે નહીં એણે સંસાર, તારું કઈ નથી હિતકાર રે? સંવેગી સુંદર ! બુઝ? મા મુઝ ગમાર ! “ તું કોઈનો નથી નિરધાર રે સંવેગી સુંદર ! બુઝ! મા મુઝ! ગમાર !” “જ્યાં લગી કારજ નિજ સરે રે, ત્યાં લગી દાખે નેહા સુરીકાન્તાનીપરેરે, છટકી દેખાડે છેહેરે છે સંવેગી !” ૧ “ચુલની અંગજ મારવા રે, કુડુંકરે જતુમેહ ભરત બાહુબલી ઝિયા રે. જે ભાઈના નેહ રે !” શ્રેણિક પુત્રે બાંધી રે લીધું વેંચી રાજ ! દુ:ખ દીધું બહુ તાતને રે, જે જે પુત્રનાં કાજ રે. સંવેગી સુંદર ! અર્થ : જ્ઞાની અને સમસ્ત જગતના ઉપકારી, પરમાત્મા જિનેશ્વર દેવ, ફરમાવે છે કે હે સંવેગી સુંદર ! દેવકનાં સુખો પણ દુખમય સમજેલા આત્મા ! આ જગતમાં તારું કંઈ જ નથી. અને તે પણ કઈ જ નથી. આપણે બધા વૃક્ષ ઉપર ભેગા થએલા પક્ષીઓના ટેળા જેવા છીએ. સૌ-સૌના સ્વાર્થમાં જ તરબળ બનેલા છીએ, પિતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ માતા-પિતા–ભાઈ-ભગિની-પુત્ર-પુત્રીઓ-મિત્રો-કુટુંબીઓ પિતાપણું બતાવે છે. સ્વાર્થ મટ્યો પછી, મુખ બતાવવા પણ આવતા નથી. વર્તમાન અથવા સર્વકાળમાં, સ્વતંત્રતાની (સ્વછંદતાની) હિમાયત કરનારા મહાનુભાવ, ચિલાતીપુત્ર અને સુષમાબાળાના સમાગમને, બરાબર વાંચે અને વિચારે છે, કઈ પણ કુટુંબમાં, અથવા કઈ પણ વ્યક્તિમાં, પ્રચારને પામતી સ્વચ્છંદતાને, ટેકો કે પ્રેત્સાહન આપવાનું અટકાવવા ભાવના થયા વિના રહેશે નહીં.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy