SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહ્યા માણસોને વિચારવા યોગ્ય વાતે ૪૪૭. અને પરસ્પરની સ્ત્રીઓના સમાગમથી, મિત્રતા, નાશ પામે છે. તે યાદ રાખવું.” આપણાં વખાણ કરવાં, કરાવવાં, સાંભળવાં, છપાવવાં એ અધમતાની નિશાની છે.” જૈનધર્મના કટ્ટર વિરોધી હોય, તેમના સાચા ગુણોનાં પણ વખાણ કરાય નહીં, પરંતુ અનુમોદના જરૂર કરવી.” પ્રશ્ન : પ્રશંસા કરવી નહીં અને અનુમોદના કરવી તેનું શું કારણ બંનેને અર્થ એક જ છે. ઉત્તર ઃ વીતરાગદેવ, ગુરુ ધર્મની પ્રશંસા, અનુદના બન્ને કરવાં પરંતુ મિથ્યાત્વી જીવનાં વખાણ કરવાથી, તેના બીજા ધર્માભાસને કે અવગુણોને પણ અજ્ઞાની જેને અનુકરણ કરવાને પ્રસંગ આવી જાય છે. માટે ગુણ સાથે દેષ પણ ષિાઈ જવાને ભય ધ્યાનમાં રાખી, મિથ્યાત્વના ગુણો પણ વખાણવામાં ચોક્કસ નુકસાન થાય છે. પરંતુ અનુમોદના માનસિક ક્રિયા છે. તેનાથી અવગુણે પોષાતા નથી માટે અનુદના જરૂર કરવી. “ઉત્સવ પ્રરૂપણું કરનાર મનુષ્યનાં, દાન, શીલ અને તપ ત્રણે વખાણવા ચોગ્ય નથી. કારણ કે દાન, શીલ અને તપથી સુગતિ મળે છે. પરંતુ ઉત્સવ પ્રરૂપણું દષથી ઘણે સંસાર વધી જાય છે. માટે જ જમાલિ, ગોશાળા વગેરે, ચારિત્રના બળથી દેવગતિને પામ્યા હોવા છતાં, ઉત્સવ પ્રરૂપણુ દોષથી, પિતાનું અને આશ્રિતનું ભયંકર અકલ્યાણ કરનારા થયા છે. સંસાર વધી જાય છે. પ્રશ્ન : ગોશાળે પ્રભુશ્રી મહાવીરદેવને મહાદ્રોહ કરનાર હતે. નિન્દકહતે. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બે મહામુનિરાજેને તેજલેશ્યાથી બાળી નાખનાર હોવા છતાં, સુગતિમાં ગયે તેનું શું કારણ? ઉત્તર : ગશાળના અજ્ઞાન કષ્ટ પ્રતાપે દેવગતિ થઈ છે અને ત્યાંથી પણ વિમળવાહન રાજા થશે. પરંતુ તીર્થંકરદેવની આશાતના અને મુનિઘાતના ભયંકર પાપથી અનંત સંસાર ભટકશે. અનેકવાર નરક ગતિ પામશે. આ લખ્યાં છે તેટલાં જ સ્થાને છે એમ સમજવું નહીં. જે સારું કે બેટું કામ કરવું. તે વિચારીને કરવું, બીજાની સલાહ મેળવીને કરવું, થોડા દિવસ, થોડો કાળ ભીને કરવું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy