SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ભણેલા અને સમજેલાની સ્પષ્ટતા પાપટના જેવા ભણેલા, ઘણાં શાસ્ત્રો વાંચી ગયા હાય છતાં, શ્રી વીતરાગદેવાનાં વચનામાં રાગ હોય જ નહીં. જેમ સુખલાલ, બેચર, ન્યાયવિજય વગેરે, તેવા પામેલ ગણાય નહીં. ૩૦૯ પ્રશ્ન : ભણેલા સમજ્યા ન હેાય. એ આપણે જાણી શકીએ, પરંતુ સમજેલા પામ્યા નથી એને આપણે કયા સાધનથી સમજી શકીએ ? ઉત્તર : શ્રીવીતરાગદેવાને તથા કંચનકામિની ભજનારા દેવાને, અથવા માંસાહારની પ્રરૂપણા કરનારા, આવા લૌકિક દેવને, વીતરાગદેવાની સાથે સરખામણી કરે, તેમણે શ્રી વીતરાગદેવને ઓળખ્યા કેમ કહેવાય ? પ્રશ્ન : અન્ય દનકારો જેમને દેવા તરીકે માનતા હોય, તેમને આપણે ઉતારી પાડીએ કે દેવ તરીકે તેમનું ખંડન કરીએ તેા, દુનિયામાં આપણે જુદા પડી જઈએ તે સારું કેમ ગણાય ? આ બાબત કલિકાળ સ`જ્ઞ ભગવાન હેમચ દ્રસૂરિમહારાજ પણ ફરમાવી ગયા છે ને ? બ્રહ્મા હોય, વિષ્ણુ હાય, મહાદેવ હાય કે બુદ્ધ હેાય, તેમને મારા નમસ્કાર થાએ. આ વાત સાચી નથી ? ઉત્તર : બીલકુલ સાચી નથી. એ મહાપુરુષે એમ કહ્યું જ નથી. તેમણે શુ કહ્યુ છે તે વાંચા. यस्य निखिलाच दोषा न सन्ति सर्वे गुणाश्चविद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ ॥ અર્થ : જેમના આત્મપ્રદેશમાંથી, બધા દોષો નિર્મૂલ-નાશ પામ્યા હાય, અને ઢાષાના નાશની સાથે, સર્વ ગુણેા પ્રકટ થયા હાય, એવા (રાગદ્વેષ વગરના વીતરાગદશા અનુભવતા ) બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર કે જિનેશ્વર ગમે તે હાય, પરંતુ હું તેમને નમસ્કાર કરું છું. પ્રશ્ન : બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરને પણ નમસ્કાર કર્યો કહેવાયને ? ઉત્તર : રાગ-દ્વેષ અને અજ્ઞાનતા નાશ પામ્યા હાય, તેમને નમસ્કાર કરવામાં અમારા એટલે જૈનાના વિરોધ હતા નહીં. જૈનાને વ્યક્તિ પ્રત્યે વિરોધ કે પક્ષપાત નથીજ. જેના તા રાગદ્વેષ અને અજ્ઞાનતાનાજ વિરોધી હતા અને છે. તથા રહેવાના છે. જૈનાએ શ્રી જિનેશ્વરદેવાના આત્માઓ, તથા સિદ્ધ પરમાત્માઓના આત્મા, તેમજ સૂરિ–વાચક અને મુનિપદ્યમાં રહેલા જીવે પણ, જ્યાંસુધી રાગદ્વેષ અજ્ઞાનતામાં, ચકચૂર હતા. ત્યાં સુધી તેમને પ્રણામ કર્યા નથી. જેમકે ત્રિપૃષ્ટવાસુદેવ, રાવણ, લક્ષ્મણ, કૃષ્ણ, શ્રેણિક, વગેરે મહાપુરુષો, મેટા રાજવી હતા. શ્રદ્ધા વગેરે ગુણાવાળા હાવા ઉપરાન્ત માનવજાતના અનેક ઉચ્ચ ગુણા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy