SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સારી કે ખરાબ સેાબત સાથે સમજણની પણ જરૂર છે આવાં બધાં દૃષ્ટાન્તાથી ભાગ્યશાળી વાચકા જરૂર સમજી શકયા હશે કે, રાજકુમાર અપરાજિતની મહાનુભાવતાથી જ, શત્રુસ્થાનમાં રહેલે સર્પ મિત્ર બન્યા હતા, અને મહાશિકારી એવા સર્પ મહા દયાળુ થઈ ગયા હતા. આ સ્થાને ખીજા` પણ દૃઢપ્રહારી ચાર, પરદેશી રાજા, રાહીણીએ ચાર, કાલશૌકરિક કસાઈ ના પુત્ર સુલસ, ચંડકૌષિક સર્પ, કૅબલ–શખલ વાછડા વગેરે ઘણા દૃષ્ટાન્તા, દુર્ગતિમાં જવા યાગ્ય, અતિ દુષ્ટ કાર્ય કરનાર પણ સામતના પરિણામથી સ્વગામી અને મેાક્ષગામી થયા છે અથવા બગડતા બચી ગયા છે. ઉપરના એ ગૃહસ્થ, ખિલાડીને દૂધ પીવડાવનારા, સમાન ક્રિયાવાળા હતા. પાત્ર અને વસ્તુ, અને સ્થાને સરખી હતી. તાપણું ચિત્તભેદ – વિચારા જુદા જુદા હેાવાથી એકને કેવળ હિંસાના પરિણામ હતા. બીજાને અનુકપા અને અભયદાનના પરિણામ થયા છે. પ્રશ્ન : કોઈ મસીદ્ધ કરાવે. અને કાઈ દેરાસર કરાવે. અન્નેને લાભ સરખા થાય ? ઉત્તર: આ પ્રશ્ન તદૃન વિપરીત છે. અવળેા છે. જૈન દેરાસરની સાથે મસીની સરખામણી ન થાય. પરંતુ વસ્તુપાળ-તેજપાળે બધા ધર્મવાળાઓને, પેાતાને અનુકૂલ બનાવીને, પોતાના ધમ માગ માં આવતા કટકાને દૂર કરવા, શિવાલયેા કરાવી આપ્યાં છે. મસ્જીદો બંધાવી દીધી છે. વાવા-તળાવા-કૂવા પર બધું જ કરાવી આપવા, બારે માસ અભંગ દ્વાર રાખ્યાં હતાં. કોઈ ને ખાલી હાથે પાછા કાઢવા જ નથી. આ બધુ' ઉચિતદાન અને પ્રીતિ દાનમાં જાય છે. શ્રી વીતરાગના માર્ગમાં ભાવનાની મુખ્યતા છે. ૩૮ ૨૯૭ પ્રશ્ન : વસ્તુપાળ અને તેજપાળની પેઠે, આ કાળમાં કાઈ કરે, કરાવે તે તેને લાભ થાય કે નુકસાન થાય ? ઉત્તર : પેાતાનાં વખાણ સાંભળવા, કીર્તિ વધારવા, મિત્રતાને પોષવા, વેપારધંધાની ખિલવણી કરવા, માટે થાય તે બધું જ અનુષ્ઠાન હાય કે દાન હેાય, તે જે જે સ્થાનમાં નાખવામાં આવે તે તે સ્થાનમાં કરાતી હિંસા, આરા, અથવા અધમના પ્રચારાનાં પાષણ થવાથી, મિથ્યાત્વ અને અવિરતિને વેગ આપનારાં થાય છે. આત્માને લાભ થાય નહીં. પાપ જરૂર લાગે. “ સીધી–સાદી એક જ વાત, જિનવચનાને કરો સાક્ષાત; જાણા જિન આગમના મર્મ, જેથી સમો ધર્મ અધર્મ, કરશે. જિન આણા અનુસાર, તરા ચોક્કસ તે સસાર, બંધ થશે આશ્રવનાં દ્વાર, મળશે મેક્ષપુરી દરબાર. ,,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy