SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ વીતરાગના મુનિરાજોને આહાર વહેરવાનું વિચાર ઉત્તર : સર્વજ્ઞ–પરમાત્મા જિનેશ્વરદેવનું શાસન ત્યાગપ્રધાન શાસન છે. વીતરાગ પરમાત્માઓએ પ્રકાશેલો ધર્મ, ઉત્તરોત્તર આત્મગુણને વિકાસ વધારવા માટે, આત્માની ખોવાઈ ગયેલી–દબાઈ ગયેલી સક્તિને ખીલવવા માટે છે. અનંતકાળથી આત્મા ઉપર ચડેલાં આઠ કર્મનાં આવરણો, તેનો નિર્દૂલ નાશ થાય તો જ, આત્માના ઢંકાએલા ગુણો અને દબાએલી શાક્ત ઉઘાડાં થાય. ગુણો અને શક્તિ પ્રકટ થાયતો અંધકાર નાશ પામી પ્રકાશ પ્રકટ થાય, નિર્માલ્યતા નાશ પામે અને સહજાનંદ ગુણ પ્રકટ થાય છે. છે તેથી સર્વર પરમાત્માઓએ સર્વકાળને ધ્યાનમાં રાખીને જૈન મુનિઓની રત્નત્રયીને આરાધવા માટે અનુકૂળ સાધનેને વાપરવાની છૂટ આપી છે. અને પ્રતિકૂળ સાધનને વાપરવાનો નિષેધ ફરમાવે છે. તેમાં પણ પાંચ મહાવિદેડક્ષેત્રના સાધુઓનો અને પાંચ ભરત–રવતના વચલા બાવીસ તીર્થકરના સાધુઓને એક સરખે માર્ગ ફરમાવ્યું છે. તેથી પહેલાં છેલ્લા તીર્થકર દેના, આચારની મર્યાદા જુદી બતાવી છે. પરંતુ પન્નરે ક્ષેત્રના સાધુઓને દેવપિંડ લેવાને સદંતર નિષેધ છે. શ્રીજૈનશાસનમાં મહાવ્રતને સાચવવાની કાળજી અને તકેદારી બતાવી છે. તેના જેટલી જ કે તેનાથી પણ વધારે જેતશાસનનો ઉડાડ ન થવા દેવાની. શાસનના માલિન્યથી સાવધાન રહેવાની. શાસનની નિંદા અવહેલના અપભ્રાજના કે અનાદર ન થઈ જાય તેની પણ, તકેદારી રાખવામાં આવી છે. પ્રશ્ન : એવાં કયાં કયાં સ્થાનો હોય છે કે, જ્યાં ગોચરી વહોરવા જવાથી, ઉપરના દેને ભય ગણાય ? ઉત્તર : પહેલા, છેલ્લા જિનેશ્વરદેવેના સાધુઓને, રાજાના દરબારમાં રાજાઓના અધિકારી મોટા માણસના ઘેર તથા મેટા જમણવાર થતા હોય ત્યાં. વેશ્યા વગેરે અનાચારી મનુષ્યના વસવાટોમાં, શિકારીઓ, માંસાહારીઓ, મચ્છીમારે, મદીરા વેચનારાઓ, પાપમય વસ્તુઓના કય_વિક્રય કરનારાઓના ઘેર અગર મહોલ્લાઓમાં, જૈન સાધુઓથી વહોરવા જવાય નહિ. ઉપરનાં સ્થાનમાં જવાથી જૈન સાધુની નિંદા થાય. શાસનની લઘુતા થાય. સાધુને તેમાંથી પડી જવાને પ્રસંગ આવે. વખતે તાડન, તર્જન, મારકૂટ પણ થાય. જીવનું જોખમ ગણાય માટે જ આવાં સ્થાનમાં જવાની જ્ઞાનિ ભગવતેએ મનાઈ કરેલી છે. પ્રશ્ન : દેવપિંડમાં ઉપર બતાવેલા રાજપિંડ વગેરે દેશે જેવા દે દેખાતા નથી. તે પછી દેવોને વહેરાવેલ આહાર લેવામાં વાંધે શું? ઉત્તર : તીર્થંકર પરમાત્માઓ, ગણધરદેવો અને કેવલી મનપર્યવજ્ઞાનીઅવધિજ્ઞાની અને પૂર્વધર મહર્ષિઓ મહાગુણના ભંડાર હોય છે. તેમને શિષ્ય પરિવાર પણ મહાગુણ હોવાથી, બારેમાસ દેવ વંદન કરવા આવવાના પણ પ્રસંગે બને છે. જે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy