SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ખગની ધાર જેવી જિનેશ્વરની આજ્ઞા ઉપર ચાલનારા ઢંઢણ મુનિ જઈ શકે છે. અને ભરતરાજાના જીવે આગલા બાહુમુનિભવમાં પાંચસો સાધુએની વેચાવચ્ચ કર્યાનું વર્ણન આવે છે. ૧૯૫ ઉત્તર : આત્માને કંમુકત થવા માટે, વીતરાગ દેવાએ ઘણા ઉપાયેા બતાવ્યા છે. કોઈ ગુણીઆત્માઓની વેયવચ્ચ–સેવા-ભકિત કરીને કમ ખપાવી શકે છે. કેાઈ વલી એવા પણ અભિગ્રહધારી હાયકે મારે બીજાની સેવા કરવીખરી. પરંતુ મારે પેાતાની સેવા, અન્ય પાસે કરાવવી નહી. એકવાર નેમનાથ સ્વામી પ્રભુ, દ્વારિકાનગરીની બહાર સમવસર્યા હતા. ઉપર મુજબ અભિગ્રહધારી ઢંઢણુ મુનિરાજ, પ્રભુજીની આજ્ઞા પામી, દ્વારિકાનગરીમાં વહેારવા ગયા હતા. ઢઢણુમુનિની ગેરહાજરીમાં, ત્રણખંડના અધિપતિ કૃષ્ણ મહારાજે, પ્રભુજીને પૂછ્યું : ભગવન્ ! આપના અઢારહજાર મુનિમાં પણુ, સવિશેષ ત્યાગી—અભિગ્રહી કાઈ મુનિ હાય તેા, મને બતાવા – સમજાવેા. પ્રભુજીના ઉત્તર : રાજન ! તીર્થંકર ભગવંતાના હાથદીક્ષિત બધાજ સાધુએ પ્રાયઃ નિરતિચાર ચારિત્ર આરાધનારા હાય છે, અપ્રમાદી હેાય છે. છઠ-અડમ-અડાઈપક્ષ–માસ વગેરે બારે માસ માટે તપ આચરનારા હેાય છે. તાપણુ અમારા આ બધા મુનિસમુદાયમાં, ઢઢણમુનિ ઘણા ત્યાગી છે. જેમને અભિગ્રહ લીધા હેાવાથી, છમાસથી ચારે આહારના ત્યાગ = ઉપવાસે ચાલુ છે; હમણાં તેઓ દ્વારિકા નગરીમાં ગાચરી વહેારવા ગયા છે. પ્રભુ મુખે ઢઢણમુનિનાં, આવાં વખાણ સાંભળીને, કૃષ્ણ વાસુદેવ ઘણા ખુશી થયા. તેમજ મુનિનાં દર્શન કરવા ઇચ્છતા, પ્રભુજીને વંદન કરીને, દ્વારિકા નગરીની બજારોમાં, ગજારૂઢ આવતા હતા. તેટલામાં ઢઢણમુનિને, પ્રભુપાસે આવતા જોયા. પ્રભુજીએ વખાણ્યા તેવાજ હાવાથી, નરવર ગજપરથી નીચે ઊતરીને, મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. અને સરવાર સ્વસ્થાને ગયા. અહીં કૃષ્ણ મહારાજના બજાર વચ્ચે, બહુમાનપૂવ કના મુનિવનને જોઈ, એક ગૃહસ્થને, ઢઢણમુનિ પ્રત્યે સદ્ભાવ થયા. અને ગેાચરી વહેારવા નિમંત્રણ આપ્યુ'. મુનિશ્રી વહેારવા ગયા. અને બેતાલીસ દ્વેષરહિત આહાર મળવાથી, વહેારીને, સમવસરણમાં પ્રભુજી પાસે આવ્યા. મુનિશ્રી પાતાને અ’તરાય તૂટ્યો જાણી ખૂબ જ આનંદ પામ્યા. અને પ્રભુજીને આહારનું પાત્ર બતાવવા લાગ્યા. પ્રભુજી ફરમાવે છે કે હું ઢંઢણુ ! તમારા અંતરાય તૂટ્યો નથી. પરંતુ તમેાને કૃષ્ણ વાસુદેવે વંદન કયું. તેથી લેાકેામાં તમા ઘણા ત્યાગી—તપસ્વી હશે। એવી જોરદાર છાપ પડી. અને ગૃહસ્થને, તમને વહેારવા નિમંત્રણ આપવા ભાવ જાગ્યા. આ આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી પ્રાપ્ત થયા કહેવાય.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy