SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ શાસનના વિવેકની બલિહારી છે. ૧૮૧ ઉત્તર : અયોગ્ય જીવને દીક્ષા જેવી ઉત્તમ વસ્તુથી લાભ થતો નથી. ધર્મની નિદા થાય છે. શાસનની અવહેલના થાય છે. ધર્મ પામેલા નવા જ ધર્મથી ખસે છે. વ્રત ભાંગી નાખ્યાનું મોટું પાપ લાગે છે. તરણીની વેદના માંહી વ્રત ભાગે તે પેસે' વ્રત ભાંગી નાખનારા નરક તિર્યંચ ગતિમાં ભટકનારા થાય છે. વ્રતોને ભાંગવાથી જીવ દુર્લભ બોધિ બને છે. ત્રતોને ભાંગનાર મનુષ્ય વખતે, ત્રતાની નિંદા કરનારે પણ થાય છે. નાલાયક મનુષ્ય વ્રતો પામીને ગુરુનો દુશમન પણ થાય છે. અયોગ્ય માણસ, દ્રવ્યચારિત્ર પાળવા છતાં, મનમાં સીદાતા રહેવાથી, ગુરુને, ધર્મને, ઉપાસકોને મનમાં નિન્દા કરે છે. વ્રતો પ્રત્યે શ્રદ્ધા, બહમાન, આદર વગરને જીવ પ્રત્યેક ક્ષણે ચિકણાં કર્મોને બાંધ્યા કરે છે. પ્રશ્નઃ તો પછી શામાં બજિયા, ગામ, સુઇ ગયof aઈતિ સાનુ અર્થ : અવિધિએ કરવા કરતાં ન કરવું સારું? આવું વચન બોલાય તે પણ ઉસૂત્ર કહેવાય છે. આનો ભાવાર્થ એ જ થાય કે દીક્ષા નહી લેનારા કરતાં, લઈને ભાંગી નાખનારા સારા એમ નહીં? ઉત્તર : કેઈને શ્રીવીતરાગદેવેની વિરતિના પરિણામ થાય જ નહીં. ૨ અને કઈ ભાગ્યશાળી જીવ વિરતિના ભાવોલ્લાસ પૂર્વક દીક્ષા લે–સારું-પાળે. ભાવિભાવ અને પડી જાય. અથવા સિંહની પેઠે લઈને, પાછળથી અતિચારે પણ લગાડે. આ બેમાં નહીં લેનાર કરતાં, લેનારને સારો જાણ. કારણ કે વિલાસથી દીક્ષા પામીને, ચોથા વગેરે ગુણઠાણ સ્પશી જવાથી, અપસંસારી થઈ ગયો ગણાય છે. પરંતુ જે આત્મા શ્રીવીતરાગ શાસનના વ્રત વચ્ચ-ખાણાને સમજતા જ ન હોય સમજવાના ખપીપણન હોય તેવાઓને જ્ઞાનિઓએ સારા માન્યા નથી. તેમ કઈ આત્મા ઘણી શ્રદ્ધાથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પૌષધ તથા દાન, શીલ, તપશ્ચર્યા કરે છે. તેમાં ઉપગશૂન્યતા વગેરે દોષ હોવા છતાં પણ, માર્ગે ચડે હોવાથી. ભવિષ્યમાં શુદ્ધ સામગ્રી પામીને, શુદ્ધ આરાધક બનવાની ભૂમિકા માની શકાય. આ સિવાય, ગતાનુગતિકતા; શૂન્યતા અને ખપીપણાના અભાવે દીક્ષા જેવી ઉચ્ચ સામગ્રી કેમ અપાય? સમજીને લે અને પાપોદયથી પડે. ગતાનુગતિક લે–અને મુકે આ બેમાં સાહુકાર અને ચેર જેટલો તફાવત છે. આ પ્રશ્ન : અવિધિએ પણ, જિનેશ્વર શાસનની ક્રિયા કરવામાં વાંધો નથી. પરંતુ લાભની જ આશા રખાય છે. તે પછી કોઈ માણસ દીક્ષા લે, ફાવે તે–આગળ વધે ન ફાવે તે ઘેર જાય તેમાં હરકત શું? ઉત્તરઃ અગ્યને દીક્ષા આપવાની, જ્ઞાનીઓએ, ના પાડી છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy