SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેમ અહી` સ્થૂલભદ્રસ્વામી વેશ્યાના ઘેર ગયા તે અપવાદ, તેના ઘેર ચામાસું રહ્યા તે અપવાદ તેની સાથે ચારમાદ એકાન્ત સેવી તે અપવાદ, વિકારોજ ઉત્પન્ન કરાવે તેવાં, ખૂબ રુપવતી–સ્રીઓનાં ચિત્રાથી ભરેલી, ભીંતાવાળી ચિત્ર શાળામાં રહ્યા તે અપવાદ ષટ્સ ભોજન વહેા અને વાપર્યાં તે અપવાદ, નિત્યપિંડ વહોર્યો તે અપવાદ ચારે માસ શય્યાતરનો પિંડ વહોર્યા તે પણ અપવાદ. ૧૭૬ આવા આવા બધા અપવાદો પૈકીનો એક અપવાદ પણ અન્ય મુનિરાજોને, અમેરિકનના અણુપ્રેમના ધડાકા જેવા હોવા છતાં, આટલા બધા અપવાદો પણ, શ્રી સ્થૂલભદ્રસ્વામી માટે શાસન પ્રભાવનાનું અને સંખ્યાતીત ઉત્તમ જીવાને અનુમેાદન કરવાનું કારણ બન્યા છે. જુએ તે મહાપુરૂષની તાકાદનુ વર્ણન वेश्या रागवती, सदा तदनुगा, षड्भीर सैर्भोजनं । शुभ्रं धाम मनोहरं वपुरहो, नव्योवयः संगमः कालोऽयंजलदाविल: तदषियः कामं जिगायादरात् । तं वंदे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥ १ ॥ અર્થ : જાતે વેશ્યા હતી, રૂપના અંબાર હતી, સ્થૂલભદ્ર મહારાજ ઉપર અપ્રમાણ : રાગ વાળી હતી. મનથી, વચનથી, કાયાથી, સ્થૂલભદ્રને, અપણુ થયેલી હતી. અર્થાત્ મનમાં સ્થૂલભદ્રનું જ ધ્યાન હતું. નમ્રતા, કોમળતા અને વિનયથી ભરેલાં વચના, તે પણ દાસીની જેમ ખેલતી હતી. કાશાવેશ્યાનાં એકએકવચન ભલભલાને, માખણના પિંડની માફક એગાળી–પીગળાવી નાખે તેવાં હતાં. તથા શરીરના પ્રત્યેક અવયવ, સ્થૂલભદ્રને અર્પણ કરેલા હતા. તથાત્રીસે દિવસ વિકારી ષટરસ પકવાનાનું જ ભાજન હતું. રહેવાની વસતિ સ્ત્રીઓના રૂપાથી ચિતરેલી ચિત્રશાળા હતી. સ્થૂલભદ્ર અને વેશ્યા બન્નેની ૩૨–૩૩ વર્ષની ભરયુવાન વય હતી. વિકારને વધારનારા ચામાસાના કાળ હતો. આટલા મોટા પ્રમાણનાં વિકારનાં ભરપૂર સાધનામાં પણ, સ્થૂલભદ્રસ્વામી મહામુનિરાજ ચાર માસની એકેએક ક્ષણમાં, પળમાં, મનમાં, વચનમાં અને કાયામાં અવિકાર રહીને, માહરાજાના મહાનુભટ કામદેવને, જીતી જનાર, અને ઉપરથી વેશ્યા જેવી અપવિત્ર બાળાને, શ્રાવકના બારવ્રત ઉચ્ચરાવી, દેશવિરતિધમ આપી તારનાર, સ્થૂલભદ્ર મહામુનિરાજને હું વાંદુ છું. વળી મહાપુરુષા કહે છે : गिरौ गुहायां बिजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हरिये युवतिजनान्तिके, वशी स एकः शक्रडालनन्दनः ॥ १ ॥ અર્થ : પતની ગુઢ્ઢામાં, વનમાં, એકાન્તસ્થાનામાં રહીને, ઇન્દ્રિયાને અથવા કામવિકારને, હજારો મહાપુરુષા જિતી શકયા છે. પરંતુ સુંદર હવેલીમાં=મનેાહર મહેલમાં,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy