SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ , ભુવનસુન્દરીની કથા અટવીમાં ઘણે વખત રહીને, લાખે પશુઓને હિંસામુકત બનાવીને, ધર્મદત્તમહામુનિરાજ વિહાર કરતા એકદિવસની સાંજે વ્યાઘપશ્ચિના ઉદ્યાનમાં આવીને કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. મુનિશ્રીએ વિહાર કર્યો ત્યારે, મુનિરાજના તપ, સંયમ-સમભાવથી આકર્ષાયેલ, સ્થલકાય એક સિંહ પણ, વિનીતશિષ્ય જેવો બનીને, મુનિશ્રી સાથે આવી, મુનિશ્રીની પાસે બેસી ગયો હતો. - વ્યાધ્રપલ્લિની બધી બાજુ કિલ્લો અને દરવાજા હતા. મુનિ આખી રાત ધ્યાનમાં જ ઉભા હતા, અને સિંહ પણ સમતાના સમુદ્ર મુનિશ્રીના તપ, સંયમ, ધ્યાન, ચારિત્રનું અનુમોદન કરતો પાસે બેઠો હતો. પ્રાતઃકાળે દરવાજા ખુલ્યા અને નરનારી-બાળકોના ટેળાં બહાર નીકળ્યાં. મુનિને ન જોયા, પરંતુ સિંહને જે. લોકોએ પશ્વિપતિને ખબર આપી તેથી પલિપતિ ધનુષબાણ લઈને બહાર આવ્યો. અને સિંહના શિકારને આનંદ માણવા, સિંહની ઉપર બાણને વરસાદ વર્ષા. મુનિરાજના અતિશય અને સિંહની કૂદવાની અને ઘાવને ટાળવાની ટેવના કારણે, ભિલ્લપતિના પ્રહારો બધા જ વ્યર્થ થયા. સિંહને લાગ્યા નહીં. પરંતુ પલિપતિને જરૂર વિચાર કરતો બનાવી મૂક્યો. - પલ્લિનાથને આજ સુધી એકે બાણ ખાલી ન ગયાને ગર્વ હતું. તે પણ ભાગીને ભુકકો થઈ ગયે અને વિચારવા લાગ્યું કે, જરૂર સાથે ઊભેલા આ મહાત્માને કાંઈક પ્રભાવ–ચમત્કાર હવે જોઈએ. મારી આખી જિંદગીમાં. સિંહને મનુષ્ય સાથે કે પાસે ઉભેલે મેં જે નથી. આજે તે સિંહ આ મહાત્મા પાસે બેઠે છે. એ મેટું આશ્ચર્ય છે. તથા મારા આટલા બાણપ્રહાર થવા છતાં પણ, ઉશ્કેરાયે નથી એ બીજું આશ્ચર્ય! તથા આટલા બધા ધનુષધારીને જેવા છતાં, ડરતા નથી તે ત્રીજુ આશ્ચર્ય ! આ બધી ભિલપતિ અને ભિલ્લલોકેની ગડમથલ જઈ મુનિશ્રીએ કાઉસ્સગ્ગ પાર્યો વ્યાધ્રરાજને પ્રશ્ન: હેસંતપુરુષ! આવા ક્રૂર અને હિંસક પ્રાણીને કેમ સાથે રાખે છે. મુનિશ્રીને ઉત્તર: રાજન! એ હિંસક કયાં છે? આટલા બધા તમારા પ્રહારે આવવા છતાં તેનામાં આવેશને અંશ પણ નથી. તે પશુ હોવા છતાં અને તમે ગુનેગાર હોવા છતાં બદલો લેવા જેટલો વિચાર પણ કરતો નથી. જ્યારે તમે રાજા છે. માણસ છો. સારું ખોટું સમજવા જેટલી બુદ્ધિવાળા છે. છતાં વિના ગુનેગારોને વગર ગુને મારી નાખ્યો છે. હમણું પણ હિંસક ક્રિયા ચાલુ છે. ત્યારે સિંહ વગેરે પ્રાણીઓ, અજ્ઞાની, અવિવેકી હોવાથી, માંસાદિ મહાદુષ્ટ વસ્તુ ખાય છે અને જાતિસ્વભાવ દુર્ગુણોને પરવશ બનીને, જીના નાશ કરતાં ખચકાતા નથી ૨૦
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy