SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો • શાક વધુ ખાવું નહીં. તેથી વૃદ્ધત્વ જલ્દી આવે છે. મૌન પણે જમવું, ટેકો દઈને જમવું નહિ. બપોરે સ્નાન કરીને જમવું. ૩૧. ધાન્ય વખાણી વખોડી નખાવું, તડકે બેસીને જમવું, માંદા પાસે રાત તજીને, નરણાં પાણી ન પીવું જી૩૧ ૦ આ સારું છે, આ ખરાબ છે, આ બરાબર નથી એમ કહીને જમવું નહિ.તડકે જમવું નહિ. ૦ માંદા માણસો પાસે રાત રહેવું નહિ. નરણા કોઠે વહેલી સવારે) પાણી પીવું નહિ. ૩૨. કંદમૂળ અભક્ષ્ય ને બોળો, વાસી દ્વિદળ વરજો જી જૂઠ તજો પરનિંદા હિંસા, જો વળી નરભવ સરજો જી ૩૨ જો નરભવ સાર્થક કરવો હોય તો કંદમૂળ, અભક્ષ્ય, બોળ – અથાણું, વાસી, તથા દ્વિદળ (કાચા દૂધ-દહીં-છાશ સાથે લીલા કે સૂકા કઠોળ) ખાવું નહિ. ૦ જૂઠું બોલવું નહિ, બીજાની નિંદા કરવી નહિ, તથા હિંસા કરવી નહિ. ૩૩. વ્રત પચ્ચખ્ખાણ ધરી ગુરુ હાથે, તીરથ જાત્રા કરીએજી, પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવી પદ ધરીએ છી૩૭ll યથા શક્તિ વ્રત પચ્ચખાણ દેવ – ગુરુ અને આત્મસાક્ષીએ કરવા જોઇએ. ૦ તીર્થોની યાત્રા કરવી જોઇએ. જો શક્તિ હોય તો છ“રી“ પાલિત સંઘ કાઢીને સંઘવી પદ પ્રાપ્ત કરવું જોઇએ. ૩૪. મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડોજી, || ૭ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy