SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો નીચ લોકો સાથે સ્નેહ ન રાખવો • જીવનમાં કલંક લાગવાથી ઘરનો, ધનનો તથા જીવનનો નાશ થાય છે. ૪. કામ વિના પર ઘર નવી જઈએ, આળ ગાળ ન દીજેજી બળીયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નવી કિજેજી જા કોઈ કામ વગર બીજાના ઘરે જવું નહિ, કોઇના ઉપર આળ (લંક) મુકવું નહિ, તથા ગાળ ન આપવી. આપણાથી વધારે બળવાન સાથે લડવું નહિ,કુટુંબમાં કલહ (ક્લેશ – ઝગડો) કરવો નહિ. ૫. દુશ્મન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતેજી માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ રાતેજી પી ૦ દુશ્મન તથા પરનારી સાથે એકાંતમાં વાત કરવી નહિ. માતા બહેન (બધી સ્ત્રી) સાથે રસ્તે ચાલતા તથા રાત્રે વાત કરવી નહિ. ૬. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી માતા - પિતા ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કરીએજી ||૬| રાજા, સ્ત્રી, તથા ઘરનો સોની (જેની પાસે દાગીના બનાવતા હોય) નો વિશ્વાસ કરવો નહિ. • માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુપ્ત વાત ન કરવી. ૭. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તણે નવી વસીએજી હાથી - ઘોડા-ગાડી જતા, દુર્જનથી દૂર ખસીએજી છા • અજાણ્યા ગામમાં જવું નહિ. (જ્યાં આપણું જાણીતું કોઇ ન હોય તે ગામમાં જવું નહી) | ૬૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy