SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો કોઈ અર્થ જ નથી રહેતો? ગર્ભપાત કેવળ માનવ હત્યા જ નથી પરંતુ સ્વહૃદયસ્થ કરુણા દેવીની પણ હત્યા છે. એકવાર ગર્ભપાત કરાવેલી સ્ત્રીના શરીરમાં કેટલાય પ્રકારથી ભૌતિક રોગોની ઉત્પત્તિ થાય છે એમ બ્રિટિશ ડૉક્ટરોએ સંશોધન કરીને સિદ્ધ કર્યું છે. ઈસાઈ ધર્મના વડા ગુરુ પોપે પણ ગર્ભપાત વિરુદ્ધ બહુ મોટો લેખ આપેલ છે. જૈન શાસનને પ્રાપ્ત કરેલ મહાનુભાવો અને સદાચારી પુરુષોના માટે ગર્ભપાત જેવા મહાપાપકારી કાર્યોથી બચવા આ બે શબ્દો લખ્યા છે. મહાભયંકર પાપોથી બચવા પુનઃવિવાહ,વિધવાવિવાહ, ગર્ભપાત, પરિવાર નિયોજન આદિથી દૂર રહેવું હિતાવહ છે. એજ. li વિચારણીય – લેખક શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી – ધર્મના ભોગે ધર્મ નહીં કરવાનો : શ્રી સંઘ જમણ હોય ત્યારે તે માટેની રસોઈ આગલી અડધી રાતે રસોઈયાઓ માંડે એ ઘણું અનુચિત છે. જરૂર પડે, સંખ્યા ઘણી હોય ત્યારે કોરડ રાખવું. અત્યારની ભાષામાં જેને અલ્પાહાર કહે છે તેમ, બેથી ત્રણ દ્રવ્યો હોય, દાળ-ભાત ન હોય. ચોમાસાના દિવસોમાં તો એ લાઈટોમાં ફુદા, પતંગિયા વગેરેની વિરાધના બેસુમાર થાય છે. વળી વધારામાં ધર્મમાંથી જ જો જયણા બાકાત હોય તો તે ધર્મ કહેવાય જ કેમ? ધર્મમાં વ્યાપારી મનોવૃત્તિ દાખલ થઈ : મંડળના વહીવટદારો રાત્રે ૧૨ વાગ્યે યાત્રા માટેની બસ ઉપાડે!એમ એબીજા દિવસમાં ગણાયને! વળી અમુક કિલોમીટર પૂરા કરવાના હોય તેથી || ૩૪૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy