SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો અમિષનો નથી, પણ અમિષની વેશભૂષા પહેરેલા કોઈ અભિનેતાનો છે. પોતાના ઘર, પોતાની રહેણીકરણી અજાણ્યા માણસો જોવા આવે એ અમિષ લોકોને ગમતું નથી. પણ પ્રવાસીઓ જે સંખ્યામાં અને જે ઝડપથી અમિષ લોકોને જોવા આવી રહ્યા છે એ જોતાં તો લાગે છે કે અમિષ લોકોનું આ અળગાપણું ઝાઝું ટકવાનું નથી. પરિવર્તનનાં પૂર જે ગતિથી ધસમસતાં આવી રહ્યાં છે એને અમિષ લોકો કેટલો વખત ખાળી શકશે? (સૌજન્ય નવનીત સમર્પણ માર્ચ, ૧૯૯૧) (આ લેખ ૧૯૯૧માં લખાયેલો છે. આજે આટલાં વર્ષો વીત્યાં તે પછી પણ અહીં વર્ણવેલી સ્થિતિ બદલાઈ નથી. ગૂગલ ઉપર સર્ચ કરવાથી એની ખાતરી થઈ શકે છે. સં.) -પ્રેમ સુબોધ સૌ પ્રત્યે સમતાનો ભાવ રાખવો, ધનાદિ માટે વિશેષ ખટપટમાં ન પડવું, સત્ય બોલવું, ભોગોથી વિરક્ત રહેવું અને કર્મમાં આસક્ત ન થવું- આ પાંચ વાત હોય તો મનુષ્ય સુખી થઈ શકે છે. || ૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy