SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો (૨) ગૃહસ્થો પાસે ધનનો અપવ્યય ન કરાવવો. ઘોડાગાડી વગેરે વાહનનો ઉપયોગ ન કરવો. (૩)છરી તલવાર વગેરે હિંસક શસ્ત્ર પાસે ન રાખવા. આભુષણોને સ્પર્શ સુદ્ધાં ન કરવો. (૪) સ્ત્રીઓ સાથે એકાંતમં બેસવું કે રહેવું નહિ, સ્વાધ્યાય નિમિત્તે પણ સાધ્વીજી કે શ્રાવિકાઓ સાથે એકાંતમાં ન બેસવું. સ્ત્રીઓ સાથે હસીને મજાક મશ્કરી ન કરવી કે ટોળટપ્પાં ન મારવા. (૫)બટાટા, કાંદા, લસણ વગેરે અભક્ષ્ય ન ખાવાં, રાત્રિભોજન ન કરવું. ભાંગ, ગાંજો વગેરે માદક પદાર્થનું સેવન ન કરવું. જે યતિઓએ આ પ્રમાણે કરવાનું ચાલુ કર્યુ હોય અને બંધ ન કરે તેમને સમુદાય બહાર મુકવા. (૬) દંતમંજન વગેરે કરવા નહિ, કુવા, તળાવ વગેરેનું કાચું પાણી વાપરવું નહિ. વનસ્પતિ વગેરે કપાવવી નહિ. (૭) સંઘ તરફથી થતી નોકરો વગેરેની વ્યવસ્થા જરૂર પુરતી મર્યાદિત રાખવી. વળી તેમાં પણ દુરાચારી, માંસાહારી વ્યક્તિને નોકર તરીકે નરાખવી. (૮) શ્રી પૂછ્યું કે અન્ય કોઈ યતિઓએ દ્રવ્ય ખર્ચ કરવા માટે સંઘ પાસે હઠાગ્રહ કરવો નહિ. (૯) પગમાં જોડા, ચાખડી વગેરે પહેરવાં નહિ. શતરંજ, પાસા વગેરેની રમત રમવી નહિ. રાતના ઉપાશ્રયની બહાર જવું નહિ. ઉપરોક્ત હકીકત આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાની છે. તે વખતે તો લગભગ બધા યતિઓએ ઉપરોક્ત નવ નિયમોનો સ્વિકાર કરી પોતાના જીવન સુધારી લીધાં હતાં કારણ કે શ્રાવકોનો આગ્રહ હતો. આપણે વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરીએ. ઉપરોક્ત નવ નિયમોમાં લખેલ શું શું પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે તે અંગે પુર્વગ્રહ રહિત, || ૧૭૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy