________________
ત્રણ વીકાર
જે મિત્રો અને સાથીદારો, આ પુસ્તક પ્રગટ કરવામાં મને સહાયભૂત થયા છે અને જે યોગદાન આપ્યું છે તેમનો ઋણ સ્વીકાર કરવાની અને આભાર માનવાની તક લઉ છું.
મારા મિત્ર અને સ્નેહી સમાચાર સંચયવાળા શંકર પંડ્યાએ મને આ પુસ્તક પ્રગટ કરવા માટે માર્ગદર્શન આપ્યું અને તેના પ્રકાશનની બધી વ્યવસ્થા સંભાળીને સહકાર આપ્યો છે તે માટે હું તેમનો અત્યંત ત્રણી અને આભારી છું.
કુસુમ પ્રકાશનના માલિક અને નવચેતન માસિકના તંત્રી મુકુંદભાઈ પી. શાહે આ પુસ્તકની વિતરણ અને વેચાણ વ્યવસ્થાની જવાબદારી . સંભાળીને મારો બોજ હળવો કર્યો છે તે બદલ હું તેમનો આભારી છું.'
જ્યુપિટર પબ્લિસીટીવાળા ભાઈ જીગરભાઈ શાહે, આ પુસ્તકનું કમ્યુટર કમ્પોઝ કરી આપ્યું. મહેશ મુદ્રણાલયવાળા રસિકભાઈ તથા જગદીશભાઈએ સુંદર છાપકામ કરી આપ્યું તે બદલ હું તેમનો આભાર માનું છું.
આ પુસ્તકનું રંગીન મુખપૃષ્ઠ અને નકશો મુંબઈના ખ્યાતનામ ચિત્રકાર અને જૈનધર્મીના સેંકડો ગ્રંથોના સુશોભનકાર, શંકરલાલ હરિલાલ ભટ્ટ તૈયાર કરી આપ્યા છે તે બદલ તેમનો અને આ પુસ્તકમાં