________________
છાપવામાં આવેલી તસવીરોની પોઝીટીવ બનાવી આપવા માટે ભાઈ મોહનસેનનો આભારી છું.
કોબા જૈન સંશોધન સંસ્થાના પ્રેરક મુનિવર આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજીએ “દો શબ્દ' લખીને આ પુસ્તકને તેમના આર્શીવચનથી નવાજ્યું છે તેમને હું વંદન કરું છું. | ગુજરાતના ભારતખ્યાત લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને જૈન ધર્મના મર્મજ્ઞ પદ્મશ્રી ગુલાબદાસ બ્રોકરે આ પુસ્તકનો ઉપોદ્યાત લખી આપવાની મારી વિનંતી સ્વીકારી અને તે લખી આપ્યો તે બદલ હું તેમનો કૃતજ્ઞતાપૂર્વક અંતઃકરણથી આભાર માનું છું.
અત્યાર સુધી પ્રગટ થયેલા મારાં બધાં જ પુસ્તકોની હસ્તપ્રતથી માંડીને, તેના પ્રકાશન કાર્યની પૂર્ણાહુતિ સુધી મને હમેશાં સાથ-સહકાર આપનાર, મારાં પત્ની ડૉ. સુલોચનાબહેન શાહનાં બહુમૂલ્ય યોગદાનના ઉલ્લેખ વિના આ ઋણ સ્વીકાર અધૂરો લાગે એટલે તેમની જહેમત અને મહેનતની ઊંડી કદર અને નોંધ સાથે વિરમું છું. મારી
- મણિભાઈ ગિ. શાહ