________________
નગરી પ્રાચીન અને ઐતિહાસિક હોવા છતાં તેની ભવ્યતાનો ખ્યાલ આપતાં કોઈ ચિતો નથી. જો કે મંદિર પ્રાચીન છે અને તેનો વારંવાર જીર્ણોદ્ધાર થયો હશે તેમ ખ્યાલ આવે છે.
ભાગલપુર સ્ટેશનથી છ કિલોમીટરના અંતરે ચંપાપુરી આવેલું છે. ભાગલપુરથી, બસ, ટાંગા વગેરેની સગવડ છે. બસ, કાર, ટાંગા વગેરે મંદિર સુધી જાય છે.
મંદિર આગળ રહેવા માટે ઘર્મશાળા છે. ભાગલપુરમાં દિગંબર મંદિર છે. જ્યાં ધર્મશાળામાં રહેવાની સગવડતા છે.