SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ એટલી તીવ્ર હતી કે દરેક પોતાને રાજા કહેવડાવતો. તેમની અંદરો અંદર મોટા,નાના, વયોવૃદ્ધ એવા ભેદ નહતા. કોઈ બીજાને અનુસરવા માગતું ન હતું. સભામાં દરેક સભ્યને સંબોધવાનો અને મત આપવાનો સમાન અધિકાર હતો. તેમની રાજ્ય વ્યવસ્થામાં નાગરિકની સ્વતંત્રતાનું બહુ કાળજીપૂર્વક જતન કરવામાં આવતું. ન્યાય અંગે પણ ઝીણવટપૂર્વક વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ સભા સાર્વભૌમ સભા ગણાતી. રાજ્ય વહન કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા હતા અને તે અંગે નીતિ નિયમો હતા. આ ૭૭૦૭ પ્રતિનિધિઓ વજી અને લિચ્છવી વંશના હતા. લિચ્છવી વંશના વારસદારો ક્ષત્રિયો હતા. તેઓ સુંદર, સ્વાભિમાની, ઉદાર, વિનયી અને શોખીન હતા. તેમનામાં પોતાનો અપરાધ કબૂલ કરવાનું નૈતિક બળ હતું. ભગવાન બુદ્ધે પોતાના સંઘમાં જે વ્યવસ્થા અપનાવી તે આવા ગણરાજ્યોની રાજકીય વ્યવસ્થા પરથી અપનાવી હતી. સંઘ ધાર્મિક સંગઠન હોવાથી તેમાં તેને અનુકૂળ ફેરફારો કરવામાં આવ્યા હતા. બુદ્ધના જન્મ સ્થાન કપિલવસ્તુમાં પણ આવા જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. આમ વૈશાલી લોકશાહીનું યાત્રાધામ હતું એમ કહી શકાય. તેનો ઈતિહાસ ભવ્ય યશસ્વી અને વિવિધરંગી છે. બે ચીની મુસાફરો ફાયહાન અને હયુએન સંગે તેમના લખાણોમાં વૈશાલીના પ્રજાસત્તાક રાજ્યનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. વૈશાલી પ્રજાસત્તાક શાસન અર્થાતુ ગણરાજ્યનું જન્મસ્થાન અને પ્રારંભિક ઉછેર-સ્થાન કહી શકાય. લિચ્છવી જાતિના ક્ષત્રિયોએ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં આ પ્રજાસત્તાકને, સ્થાયી સ્વરૂપે વિકસાવ્યું હતું. પુરાતત્ત્વવેત્તાઓએ ખોદકામ કરતાં પુરાણા સમયના “સંથાગાર'નો ભાગ શોધી કાઢ્યો છે.આ સંથાગાર એટલે આજના સમયની લોકસભા. લિચ્છવી અને વિજી-ગણના ૭૭૦૭ પ્રતિનિધિઓ આ સંથાગારમાં કાયદાઓ ઘડવા માટે અને રોજબરોજના રાજ્યના પ્રશ્નો ચર્ચવા માટે મળતા હતા. તે જગા 'રાજા વિશાલ કા ગૃહ' તરીકે ઓળખાય છે. લગભગ દોઢ કિલોમીટરના ઘેરાવામાં તેના ખંડિયેરો મળી આવ્યાં છે. તે એ ૧૫૩
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy