________________
અહીં વૈભારગિરિમાં મોક્ષે સિધાવ્યા હતા. આ ભૂમિમાં ભગવાન મહાવીરના ચૌદ ચાતુર્માસ થયાં હતાં અને તેમને દેશના આપી હતી. શ્રી શાલિભદ્ર, શ્રી અભયકુમાર મંત્રી, શ્રી કયવન્ના શેઠ, શ્રી જંબુસ્વામી, પુણિયા શ્રાવક, નંદિષેણ, અંગુલિમાલ, શ્રી સ્વયંભૂસૂરિ વગેરે મહાન પુણ્યાત્માઓની પણ આ જન્મભૂમિ છે. આમ, આ સ્થળ, જૈનો માટે અતિપવિત્ર અને તીર્થયાત્રાનું ધામ ગણાય છે.
રાજગિરિ રેલ્વે સ્ટેશન, તળેટીની ઘર્મશાળાઓથી બે કિલોમીટરના અંતરે આવેલું છે. બસ સ્ટેન્ડ તો ધર્મશાળાઓથી માત્ર બસો મીટરના અંતરે આવેલું છે. ગામમાં ટેક્ષી, રિક્ષા વગેરે સાધનો મળે છે.
યાત્રાળુઓને રહેવા માટે તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર પંથીઓની ઘર્મશાળાઓ છે તેમાં ભોજન વગેરેની સગવડ છે. પ્રવાસ નિગમનું ગેસ્ટ હાઉસ પણ છે.
IS ૧૫૧ SSSSSSSSSSSSSS