________________
આખા પ્રદેશમાં બુદ્ધના સ્મારકો વેરાયેલાં છે. બૌદ્ધ ધર્મીઓ આ જગ્યાને ધણી પવિત્ર ગણે છે.
અહીં ગૃધફૂટથી લગભગ બે કિલોમીટરના અંતરે પત્થરની વાડથી એક જગાને સુરક્ષિત બનાવી છે. આ સ્થાન પર, અંકિત કરેલા અક્ષરોમાં ઘણા આલેખો છે. જે હજી સુધી ઉકેલી શકાયા નથી. એમાં કંઈ સ્થળોએ પુરાણા જમાનાની ગાડીઓ યાને રથના ચક્રનાં પત્થરની જમીનમાં પડેલાં ચાકના ચિહ્નો છે અને આ ચિહ્નો કઠણ પત્થરની જમીનમાં સારી રીતે ઊંડા ગયેલાં છે. રથ અગર બેલગાડી ચલાવવાથી જે રીતે વાહનની બે બાજુ પૈડાનાં ખાડા પડે છે તેવા જ ચિહ્નો છે. કિવંદતી એવી છે કે શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન સાથે અહીં આવ્યા ત્યારે તેમના રથના પૈડાથી થયેલા આ ચિહ્નો છે.
અહીં રાજગિરિમાં એક અતિશય આકર્ષક કેન્દ્ર, ગરમ પાણીના કુંડોનું છે. પાલી સાહિત્યમાં ગરમ પાણીના બાવન કંડોનો ઉલ્લેખ છે. આ બાવન કુંડોમાં સપ્તધારા કુંડ, બ્રહ્મકુંડ અને સૂર્યકુંડ ધણા પ્રસિદ્ધ છે. સૂર્યકુંડની પૂર્વ દીવાલ તરફ સૂર્યની મૂર્તિ છે, અને દક્ષિણ દિશાએ વિષ્ણુની મૂર્તિ છે. બ્રહ્મકુંડ અને સપ્તધારા કુંડ વૈભારગિરિની તળેટીમાં છે. મખમ કુંડનું જૂનું નામ શૃંગી ઋષિ કુંડ છે.
પ્રાચીન કાળથી આ કંડોનાં પાણીને પવિત્ર ગણવામાં આવે છે અને એ પ્રકૃતિની દેન છે એમ માનવામાં આવે છે. આ પાણી ઔષધયુક્ત અને રોગનાશક છે. પાણીના વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પ્રયોગના આધારે એમ માનવામાં આવે છે કે તે રેડિયમ મિશ્રિત છે. ધણા રોગોથી પીડિત દર્દીઓને આ કુંડમાં સ્નાન કરવાથી ઘણો ફાયદો થયો છે. આ કારણે શરદીની મોસમમાં આ એક આરોગ્યધામ બની જાય છે, અને ઘણા લોકો તેનો લાભ લે છે.
આ સિવાય અહીંયાં ધણા મંદિરો અને મઠો છે, અહીંયા એક રક્તવર્ણ રંગનો પત્થર છે. લોકોકિત પ્રમાણે તેને લોહીના દાગવાળો માનવામાં આવે છે. એમ કહેવાય છે કે એક સાધુ સમાધિમાં બેઠા હતા ESSSSSSSSSSSSS ૧૪૯ NNNN