SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હયુ-એન-સંગ ભારત આવ્યો હતો. તેને આ સ્થળ વિશે ખાસ ઉલ્લેખ કર્યો નથી. તેને તો પુરાણા વિહારો અને સ્તૂપોના ખંડિયરો અને તેના પાયાના ભાગ માત્ર જોયા હતા. આજે રાજિગિરની મહત્તા જૈન ધર્મીઓના મંદિરો અને ગૃકુટ ટેકરીની નજીક રગિરિ પર્વત પર જાપાનના બોદ્ધ-ધર્મીઓએ બાંધેલી, વિશ્વશાંતિ સ્તૂપને કારણે વધી ગઈ છે અને તે જૈનો અને બૌદ્ધોનું યાત્રાનું ધામ બની ગયું છે. રત્નગિરિ ટેકરી ઉપર બાંધેલ સ્તૂપની ઊંચાઈ ૧૨૦ ફૂટની છે. તેના શીર્ષભાગ ઉપર ૧૦ ફૂટ ઊંચો કમળનો કળશ છે. સ્તૂપને એક મનોમુગ્ધ કરનારી મંજુષામાં સાત રત્નો સહિત, ભગવાન બુદ્ધનાં અવશેષો મૂકીને સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્તૂપની ચારે બાજુએ સમાંતરે સોનાના ઢાળથી મઢેલી, બુદ્ધની અત્યંત ભવ્ય અને આકર્ષક પ્રતિમાઓ છે. સ્તૂપનું ક્ષેત્રફળ ૧૦૩ ફૂટ છે. બાજુમાં એક અતિસુંદર બૌદ્ધ મંદિર બાંધવામાં આવ્યું છે. આ ટેકરી ઉપર જવા માટે જાપાનના બૌદ્ધોએ એક એરિયલ રોપ-વે યાને રજ્જૂ માર્ગ બનાવ્યો છે. સામાન્ય એરિયલ રોપ-વે કરતાં આ કંઈક જુદો અને વિશિષ્ટ પ્રકારનો છે.તેની લંબાઈ લગભગ બાવીસો ફૂટની છે. તેમાં લોખંડનાં દોરડાં સાથે થોડા થોડા અંતરે એકસોને ચૌદ ખુરશીઓ લગાડવામાં આવી છે. આ રજ્જુ માર્ગને ઝૂલા દ્વારા ઉપર ચડવામાં લગભગ સાત મિનિટ થાય છે. આ રજ્જુ માર્ગ સળંગ છે અને ઉપરથી નીચે ગોળાકારમાં ફરે છે. ખુરશીઓ ખુલ્લી છે, અર્થાત્ આગળના ભાગમાં પટ્ટો બાંધવાનો નથી. ખુરશીમાં એક મોટો લોખંડનો સળિયો હોય છે તે પકડી બેસવાનું હોય છે. વળી બેસવાની અને ઊતરવાની ક્રિયા પણ રોપ-વે ચાલુ હોય ત્યારે કરવી પડે છે. રોપવેમાં કોઇ અકસ્માત બન્યો નથી છતાં બેસીને ઉપર જઇએ અગર નીચે આવીએ ત્યારે તેમાં થોડી ભીતિ જેવું લાગે છે, કારણ કે કોઇ કા૨ણે માનવી ખુરશીમાંથી પડે તો ભાગ્યે જ બચી શકે. નીચે ખરબચડા પત્થરની ટેકરીઓ છે. ત્યાં જવા આવવાનો કોઈ રસ્તો નથી એટલે માનવી પડે તો તેને કાઢવાનું લગભગ અશક્ય જ ૧૪૪
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy