SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું.તેમનું સંસારનું નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે ૫૯૯ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે બિહાર પ્રાંતના કુંડગ્રામમાં થયો હતો. તેમના જન્મ પછી પિતાની સમૃદ્ધિ વધી એટલે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું હતું. તેમને એક મોટાભાઈ અને એક બહેન હતાં. ભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદર્શના હતું. બચપણથી તેઓ વૈરાગી વૃત્તિવાળા હતા, છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કર્યાં અને સંસારી જીવનમાં પ્રવેશ કર્યો. તેમની પત્નીનું નામ યશોદાદેવી હતું. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તેનું નામ પ્રિયદર્શની હતું. તેમના અઠ્ઠાવીસમા વર્ષે, માતા પિતાનો દેહાંત થયો. તેઓ સંસાર છોડી જવા માટે તૈયાર થયા પણ મોટાભાઈ નંદીવર્ધને તેમને બે વર્ષ માટે તેમ કરતાં અટકાવ્યા. આમ ત્રીસ વર્ષની ઉંમરે તેમને સર્વસ્વનો ત્યાગ કરી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના સંઘને અનુસરીને, સાધુપણું અંગીકાર કર્યું. ત્રીસથી બેંતાલીસ વર્ષની વય સુધી તેમણે સતત તપશ્ચર્યા કરી. બેંતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામ્યા. ત્યારબાદ ત્રીસ વર્ષ સુધી જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરી ઉપદેશો આપ્યા અને બોંતેર વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ સુધી અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય એ ચાર મહાવ્રતો ગણાતાં તેમાં ભગવાન મહાવીરે અપરિગ્રહના પાચમા વ્રતનો ઉમેરો કર્યો કર્મની ફિલસૂફી એ જૈનધર્મની એક મહત્ત્વની ફિલસૂફી છે. કર્મની ફિલસૂફીમાં ભગવાન મહાવીર ધણા ઊંડા ઉતર્યા હતા. મૂળ ફર્મની ફિલસૂફીના તેમને બે પ્રકાર ગણાવ્યા. ઘાતી અને અઘાતી. ધાતી અને અધાતી કર્મને બીજા ચાર ચાર પેટા ભાગમાં વહેંચ્યા. આમ આઠ પ્રકારના ફર્મ બતાવ્યાં વળી તેના અવાન્તર ભેદ ૧૪૮ છે તેમ પ્રતિપાદન કર્યું.ધાતી કર્મમાં જ્ઞાનાવરણીય (૨) દર્શનાવર્ણીય (૩) મોહનીય અને (૪) અંતરાય કર્મનો સમાવેશ થાય છે. અધાતી કર્મમાં (૧) વેદનીય (૨) ગોત્ર (૩) આયુ અને (૪) નામ કર્મનો સમાવેશ થાય છે. જૈન ધર્મની માન્યતા મુજબ ધાતી કર્મ ખપાવી શકાય છે, પણ અધાતી કર્મને ખપાવી શકાતાં નથી. કેવળજ્ઞાન પામ્યા પછી પણ તે કર્મ ભોગવવાં પડે છે. અહિં ૧૩૫
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy