________________
જૈનોની માન્યતા પ્રમાણે જેઓ આવતી ચોવીસીના પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થવાના છે તે રાજા શ્રેણિક પણ રાજગૃહીના સમ્રાટ હતા. વળી રાજગૃહીમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીનો જન્મ થયો હતો. અહિ જ તેમના પ્રથમ ચાર કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન થયાં હતાં. ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયા પછી બિહાર તેમની કર્મભૂમિ રહી હતી. અને બિહારના પ્રદેશમાં જ તેમણે દેશના આપી હતી. આમ સમસ્ત બિહારની ભૂમિ તેમના પદાર્પણથી પાવન થયેલી છે.
NANIS ૧૨૧