SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ એ જ હાલતમાં છે. કોઈ કોઈ સ્થળે પાછળના ભાગમાંથી પોપડા ખરી પડ્યા છે. બીજાં હજારો વર્ષ આબોહવાની અસરથી મુક્ત રહીને માનવજાતિને મહાન જીવન જીવવા માટેની પ્રેરણા આપતી રહે તેમ આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ. વિંદ્યગિરિ પર્વત પર બીજાં સાત મંદિરો છે. સામેના ચન્દ્રગિરિ પર્વત પર (૧૪) ચૌદ મંદિરો છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનનું એક મંદિર છે તે ઘણું પ્રાચીન મંદિર છે. અહિં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીની ચરણપાદુકાઓ પણ છે. ચન્દ્રગિરિ પર્વત ઉપર એક અડધી દટાયેલી મૂર્તિ છે, તે ભરત ચક્રવર્તીની હશે તેમ માનવામાં આવે છે. આ બે પર્વતોની વચ્ચે એક વિશાળ જળકુંડ આવેલો છે. શ્રવણ બેલગોલા ગામમાં સાત મંદિરો છે. તેમાં એક મંદિરમાં જૈન મઠ સ્થાપિત કરેલો છે. તેમાં શ્રી ચારૂકીર્તિ સ્વામીજી ભટ્ટાચાર્યની સ્થાપના છે તેમજ નવ રત્નોની સત્તર (૧૭) પ્રતિમાઓ છે. શ્રવણ બેલગોલાના નજદીકના સ્ટેશનો આરસીકરી ચોસઠ (૬૪) કિલોમીટર, હાસન એકાવન (૫૧) કિલોમીટર અને મંદગિરિ બાવીસ (૨૨) કિલોમીટરના અંતરે આવેલાં છે. આ સ્થળોથી બસ ટેકસીઓ વગેરે વાહનો મળે છે. બેંગલોરથી બસ દ્વારા ૧૦૦ કિલોમીટર અને મૈસુરથી ૧૨૮ કિલોમીટરની દૂરીએ આવેલું છે. તળેટી સુધી પાકો રસ્તો છે. પહાડ પર ચડાવા માટે સુંદર પગથિયાંની સીડી બનાવવામાં આવી છે. તળેટી ગામની પાસે છે. તેમાં રહેવા માટે ધર્મશાળા છે, જેમાં પાણી, વાસણો, વીજળી વગેરેની વ્યવસ્થા છે, ચન્દ્રગિરિની તળેટીમાં એક ટુરીસ્ટ બંગલો પણ છે. નજદીકમાં હાસન નગરમાં ભારતીય પ્રવાસ નિગમની હોટેલ આવેલી છે, તે ઉપરાંત બીજી હોટેલો છે જેમાં આવાસ અને ભોજનની વ્યવસ્થા છે. બાહુબલિની મૂર્તિની વાત લખું છું ત્યારે મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના સાતપુડા પર્વતના સૌથી ઊંચા શિખર ચુલગિરિ પર આવેલી, જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ આદિનાથની ૮૪ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ વિશે વાંચેલી SSSSSSSSSSSSS ૧૧૬ NN
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy