________________
ગઢ ચિતોડ સમ અજય હિમગિરિસા ગિરિધ્ધત, મહા તુચ્છ હૈ જિસકે આગે સ્વર્ગભૂમિ કૈલાસ ધામ; મિટી ગુલામી નૌરોજા કી પ્રબલશત્રુકા કરકે તેરા; ઉત્તર ઘર કિવાડ કહાવે યહી હમારા જેસલમેર; જેસલમેરમાં આવેલ વિશાળ ભવ્ય જૈન મંદિરો અને તેની સ્થાપત્ય અને શિલ્પકળા, તેના જ્ઞાન ભંડારો, ગડી સાગર તળાવ, પટવા વગેરેની ગંગનચુંબી ભવ્ય કોતરકામવાળી હવેલીઓ, ઊંચા પહાડ પર બાંધેલો કિલ્લો, તેનાં રાજમહેલો, કવિએ લખેલી પંક્તિઓની સાર્થકતા પૂરવાર
કરે છે.
મધ્યકાલીન યુગમાં જેસલમેર પશ્ચિમ એશિયા સાથે વેપારથી જોડાયેલું હતું. ત્યારે તે પશ્ચિમ એશિયામાં જતી અને આવતી ઊંટોની વણઝારનું એક અગત્યનું વ્યાપાર કેન્દ્ર હતું. જેસલમેરના સાહસિક વેપારીઓ પરદેશ સાથેના વ્યાપાર દ્વારા અનર્ગલ સંપત્તિ કમાયા હતા, અને સુવર્ણરંગી વેળુ પાષાણોમાંથી ઉત્કૃષ્ટ સ્થપતિઓ અને શિલ્પીઓ દ્વારા ભવ્ય મહાલયો અને હવેલીઓ બંધાવી હતી. આજે એ ભવ્ય હવેલીઓ અને ભવનો, ઉજ્જવળ ભૂતકાળની ઝાંખી કરાવતાં બિસ્માર હાલતમાં પડ્યાં છે. આમ છતાં એ વૈભવશાળી ભવનો જોવા ભારતભરમાંથી અને પરદેશથી પ્રવાસીઓ આવે છે. - જેસલમેરના સાંકડા માર્ગ પર આ હવેલીઓ આવેલી હોઈને માર્ગની વચ્ચે ઊભા રહીને જોતાં તે ઘણી આકર્ષક લાગે છે. સ્થાપત્ય અને શિલ્પની
આ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ છે. તેમાં પટવાઓની હવેલીઓ ઉત્તમ પ્રકારના શિલ્પના કોતરકામવાળી છે. કેટલાક ખંડોમાં ઉત્તમ કોટિના ભત ચિત્રો આલેખવામાં આવ્યાં છે. હવેલીના ઝરૂખાઓ અને બારીઓ સૂક્ષ્મ પ્રકારના શિલ્પ અને નકશીથી કોતરાયેલા હોઈને હવેલીઓની સુંદરતાને વધુ આકર્ષિત બનાવે છે.
કોતરણી દ્વારા હવેલીઓના પ્રવેશદ્વાર આગળ વેલ,બૂટા,પત્ર, પુષ્પ