SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમંદિર સુખી અને શ્રીમંત શ્રાવકે જીવનમાં શું શું કરવું જોઈએ? એના કર્તવ્ય શું છે? એ આ વિભાગ બતાવે છે. સુખી શ્રાવકે જીવનમાં ઓછામાં ઓછું એક સુંદર જિનમંદિર બંધાવવું જોઈએ. જિનમંદિર બંધાવવું એ એક મહાન પુણ્યનું કાર્ય છે. શાસ્ત્રોમાં એનું એટલું ફળ વર્ણવ્યું છે કે જેની કલ્પના પણ ન આવે. એક ગ્રન્થમાં ત્યાં સુધી લખ્યું છે કે–મંદિર બંધાવનાર શ્રાવક મંદિરમાં વપરાયેલ લાકડા વગેરેમાં જેટલા પરમાણું છે તેટલા લાખ વરસ સુધી સ્વર્ગનું સુખ પામે છે. હકીકતમાં જોવા જઈએ તે પણ સમજાય એવી વાત છે કે જિનેશ્વર દેવોને આપણી ઉપર કેટલે બધો ઉપકાર છે? એ ઉપકારને બદલે વાળવા ખાતર એક શું હજારે મંદિર બંધાવીએ તે પણ ઓછાં છે. પૈસા તે ફેંકી દેવા જેવી ચીજ છે. એને સંગ્રહ કરવા કરતા એને સદુપયોગ જ કર જોઈએ. જિનમંદિર બંધાવનારે શુદ્ધ ભૂમિ પર લાકડાં, પત્થર, ઈટ આદિ સારામાં સારી વસ્તુ લાવી, કારીગરોને ઠગ્યા વિના સંતોષ આપી, શુભ અધ્યવસાય સાથે પળાય એટલી જયણું પાબી જિનમંદિર બાંધવું જોઈએ. 106
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy