________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
પૂ૦ (૯)
પૂ૦ (૧૦)
પૂ૦ (૧૧)
સર્વ લોકના દુઃખો હણવા, સહેજે સમાઈ જાય રે; સુખદુઃખ આપે હર્ષ ન શોચે, સાક્ષીભાવ સુહાય રે.. નામને રૂપમાં મોહ રહે નહીં, કર્તવ્યો જ કરાય રે; જ્ઞાનાગ્નિમાં મોહ કાષ્ટને હોમી, મુક્તિ ક્ષણમાં પાય રે. માન પૂજાની હોય ન વૃત્તિ, ધાર્મિક હોય પ્રવૃત્તિ રે; બાહ્યાભ્યતર તપને તપતાં, પ્રગટે અનંતી શક્તિ રે. આતમને પરમાતમ કરવા, તપ છે સાધન સત્ય રે; બુદ્ધિ સાગર મંગલ પામે, તપથી કરી શુભ કૃત્ય રે. (વીરકુવરની વાતડી કોને કરીએ એ રાગમાં) વાસનારોધક તપ તપો નરનારી, મનથી ઇચ્છાઓ નિવારી; કરો આત્મશુદ્ધિ જયકારી, શુભાશુભ પરિણતિવારી, રહો આત્મમગત્ત વાસના. નિશ્ચય તપ ક્ષણ માત્રમાં શિવ આપે, શુદ્ધ કેવલ જ્ઞાને છાપે; પૂર્ણ આનંદ ઘટમાં વ્યાપે, રહો તનથી પ્રસન્ન વાસ.
પૂ૦ (૧૨)
કામાદિક મોહવૃત્તિઓ સહુ ટાળો, શુદ્ધ આત્મસ્વરૂપ નિહાળો; ભેદભાવની વૃત્તિવાળો, રાખો નિર્મલ મન. વાસ,
આત્મજ્ઞાન ને ધ્યાનથી છે સમાધિ, ટળે આધિવ્યાધિ ઉપાધિ; લહો મુક્તિ તપ આરાધીસ બનો જીવનમુક્ત વાસ,
નિશ્ચય તપ પુરુષાર્થથી ભવી પામે, બની નિર્વિષથી દુઃખ પામે; પરબ્રહ્મ બની ઠરો ઠામે, બુદ્ધિસાગર લેશ વાસ,