SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ આહાર ત્યાગનાં છ કારણો: શાસ્ત્રમાં કહ્યું છે કે – आयंके उपसगे तितिकखणे बंभचेर गुत्तीसु । પાણીવિયા તવનું શરીર વછે યા (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬-૩૪) (૧) રોગ થવા પર ઃ રોગમાં આહાર કરવાથી રોગ વધારે પ્રબળ બને છે. એટલા માટે કહ્યું છે કે રેલી સંઘને શ્રેય: રોગ થવા પર લંઘન-ઉપવાસ સારો રહે છે. રાજસ્થાનીમાં પણ કહેવત છે કે “વર નાયબ મા પાયા નંબન તીખ કરાય” આ બધાનો ભાવ એ છે કે રોગ થવા પર ભોજન કરવું ન જોઈએ. (૨) ઉપસર્ગ : સંકટ આદિ આવવા પર, ઉપસર્ગ આવવા પર ખાવાનું ત્યાગ કરી દે. (૩) ભોજન કરવાથી મનોવિકારોની વૃદ્ધિ થતી હોય, બ્રહ્મચર્યની સાધનામાં મુશ્કેલી આવતી હોય તો આહારનો ત્યાગ કરી બ્રહ્મચર્યની સાધનામાં સ્થિર રહે છે. ગાંધીજી પણ એટલા માટે કહેતા હતા કે “ઉપવાસથી શરીરના રોગ શાંત થતા જ મનના વિકારો પણ શાંત થઈ જાય છે. એટલે કે શરીર તથા મનની શુદ્ધિ માટે ઉપવાસ એક અદ્ભુત ચિકિત્સા છે. (૪) જીવદયાનું પાલન ન થવા પર ઃ જો શુદ્ધ આહાર ન મળે તો આહારને માટે જીવહિંસા આરંભ-સમારંભ કરવો પડે, કરાવવો પડે તો તે સ્થિતિમાં સાધક જીવદયા માટે, અહિંસાવ્રતની રક્ષા માટે આહારનો ત્યાગ કરી દે છે. (૫) તપને માટે : જ્યારે સાધક વ્રતઆદિ કરવા માંગતો હોય ત્યારે પણ આહારને છોડી દે છે. (૬) શરીર ત્યાગને માટે જ્યારે ખ્યાલ આવે કે શરીરમાંથી બળ, વીર્ય, શક્તિ વગેરે ખલાસ થઈ ગયાં છે. હરવા-ફરવામાં મુશ્કેલી અનુભવાય છે. ત્યારે શરીરને છોડવા માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ તથા સથારાનો પ્રારંભ કરતા આહારનો ત્યાગ કરી દે છે. ઉત્તમ બહં રૂમ સમરે રૂમ શરીર | આચારાંગ સૂત્ર ૮-૭ આચારાંગ સૂત્રમાં પણ બતાવ્યું છે કે જ્યારે શરીર બધી રીતે અસમર્થ થઈ રહ્યું છે. ત્યારે ધીરે ધીરે આહારનો ત્યાગ કરતા જવું જોઈએ.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy