SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ મનોબળને ઉત્તરોત્તર વધારે છે. ઇચ્છિત વસ્તુમાં વિશ્વાસ રહેવાથી માણસની સંકલ્પશક્તિ દઢ બની જાય છે. તપશ્ચર્યા વ્યક્તિને લોકો પ્રત્યે ઉદાર અને સહિષ્ણુ બનાવે છે. આવી વ્યક્તિ પોતાની ઉદાત્તશક્તિને લોકકલ્યાણમાં વાપરે છે. જેનાથી તેનો આલોક અને પરલોક બંન્ને સુધરી જાય છે અને પરમલોકમાં જવાનું નિશ્ચિત બની જાય છે. તપ: સમાનાર્થી પ્રયોગ તપનું ક્ષેત્ર સત્યની જેમ વ્યાપક અને વિવિધો—ખી છે. આના લક્ષણ, સ્વરૂપ અને પ્રકારોની અભિવ્યક્તિ કરવા અનેક સમાનાર્થી અથવા તપદ્યોતક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તપ એટલે તપવું, બાળવું. પોતાના ધર્મ કર્મથી ન ડગવું તે તપ છે. 17 ન્દ્રિય નિપ્રદ દિ તપ હૈ II 21 તપ યોગનું એક રૂપ છે. तपः स्वाध्यायेश्वर प्रणिधानानि क्रियायोगः ।। 3 । બ્રહ્મચર્યના અર્થમાં કહ્યું છે કે તવેસુવા સત્તમં બ્રહારં . 4 તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે. શ્રમ કરવો, આલોચના કરવી અને “નિયમેવું” I 51 ઉપવાસ, ગીલ્મ, માધમાલ, વ્રતોદાન, પરિવ્રયા, નિયમ સ્થિતિ, વતચર્યા 6 I સૌરમાસ શાસ્ત્રોપદિષ્ટ માર્ગમાં ઇન્દ્રયોનું દમન, અનદાન, બ્રહ્મ, સૃષ્ટિ, સંકલ્પ, સત્યનું પાલન કરવું, વૈરાગ્ય ધારણ કરવું, યજ્ઞ કરવું, દાન દેવું, પુરુષાર્થ કરવું વિગેરે. સમાનાર્થી પ્રયોગ જેવા કે... (૧) સૂર્ય તપી રહ્યો છે. (ગરમી આપવી) 1. મહાભારત સૂત્ર - ૩/૧૩ 2.ચાકય સૂત્ર - ૫૧/ 3. યોગસૂત્ર 4. સૂયગડાંગ સૂત્ર, અ-૬ 5. આપ. ધ. સ. ૨.૫-૧ 6. હલાયુધ કોષ પૃ.૩૨૫
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy