________________
સહિત શુભ ભાવના.
તમારા આ સર્વકાર્યમાં ગુરુદેવના આશિષ તો કાયમી સાથે ગુરુજીનો હોય, દેહવિલય થયો, તમારા અંતરની વેદના કોણ જાણે?
કોઈને પ્રશ્ન થાય કે આ બધામાં તમે તમારી સાધના કયારે કરો ? અરે સાધના તો તેમની સાથીદાર છે. તેનું બળ તો પ્રગટ જોઈ રહ્યા છીએ. કથંચિત તમે સંયમ માર્ગે ગયા હોત તો આત્માનુશાસન તો કર્યું હોત પણ આ તમારું શ્રાવકજીવન કંઈ ઓછું ઊતરે તેમ નથી.
આવી બહુમુખી પ્રતિભાનો પ્રભાવ વિરલ જોવા મળે, સૂર્યને પૂછે, તે અંધારું જોયું છે ? સન્માનને પૂછે તેં આ વિરલ વિભૂતિને જોઈ છે. તે કોઈ મુગુટધારી નથી. તદ્દન સાદા કપડાં, ઘરબારમાં સાદાઈ, એમની ઉપસ્થિતિ જ શોભાયમાન છે. ત્યાં બાહ્ય આડંબર ઝાંખો પડે
છે.
અંતે એક વાર બનાસકાંઠા સેવાકાર્ય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તમારા દર્શન માટે બોલાવ્યા જ્યારે તેઓ તમારા ચરણ સ્પર્શ કરી રહ્યા ત્યારે તમે અતિ નમ્રભાવે નમી રહ્યા. છતાં વાતનો કોઈ પેપરમાં ઉલ્લેખ નથી. કેવી નિસ્પૃહતા ? આવા પ્રસંગોની મિત્રોમાં ચર્ચા પણ નહિ. આ તમારી તપશ્ચર્યા જ છે.
નિરાંતના સમયમાં અંગત સાધના, શ્રાવકધર્મ અન્વયે ચુસ્ત પાલન, ભક્તિમાં ભીંજાયેલા, ગુરુજનોની આજ્ઞાપાલનમાં તત્પર છતાં ત્યાંય વિવેકપૂર્ણ સત્યને વળગી રહેનારા. નિવાસે હોય ત્યારે સામાયિકનું સાટું વાળી લો, આઠ દસ તો થઈ જાય. ધન્ય તે ધરા.
૫૦. સંસાર અસાર છે
લગભગ ત્રીસેક વર્ષો પહેલા એ યુવાને શ્રી ચંદ્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું. આ સંસારરૂપી પાણીને ગમે તેટલું મથો માખણ ન નીકળે. સંયમને ધારણ કરો કદાચ પ્રારંભમાં કષ્ટ લાગે તો પણ અંતે પરમસુખ છે. થોડા પ્રવચનો સાંભળ્યા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૯