SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મુખે કશી પછી ફરિયાદ તો હોય જ કયાંથી? આફતો આવે દોડી જાય પછી આરામ? ના ભાઈ, કેટલાયે જિનમંદિરો, પ્રતિમાજી ભરાવવી, પુસ્તક પ્રકાશનનું કાર્ય, જિણોદ્ધાર, વૈયાવચ્ચ, વિહારધામો, દુષ્કાળમાં પીડિતોની સેવા. સાથે અંગત સાધનાનું બળ મળતું. ચ્છનો ભૂકંપ, બનાસકાંઠા પૂરનું તાંડવ નૃત્ય જ્યાં તમારું હૃદય હાલી ઊઠે. તમારા પગ દોડે બે હાથ તો સેવામાં તત્પર. અમને લાગે છે તમારા દેહમાં કોઈ દેવનો વાસ છે? ડાબે જમણે મિત્રોનો સાથ તો મળે જ. દેવો પણ ખુશ થતાં હશે, વંદન કરતા હશે. સૌના હૃદયમાં તમારું સ્થાન કેવું? તમારા પૂ. માતુશ્રીના અવસાન સમયે ગામજનો ભેદભાવ વગર ઉમટી પડયા. જેની કુક્ષીએ આવું અનુપમ રતન પ્રગટ્યું છે તે માતાની પાલખી બેન્ડવાજા સાથે સૌએ નવાજી. ધન્ય તે માતા પિતા કુળવંશ. આટલા કાર્યભારને વહન કરવા છતાં બોજો કેમ નથી ? કે વિચાર સુધ્ધા નથી. નાણાંનો હિસાબ કાર્ય સાથે પૂરો થાય. પછી વિકલ્પને સ્થાન ક્યાં રહે? મુક્તિ પણ કેટલે દૂર રહે ? રત્નસુંદરજીના “કલિયુગની કમાલ”માંથી વાંચીને અત્રે ઉધૃત કર્યું છે. પ્રગટ કરવાનો ભય હતો પણ આ પુસ્તકના સહારે સાહસ કર્યું છે. એશ આરામી યુવાનોને પ્રેરણાદાયક છે. હજી તો ઘણુંય બાકી રહી જતું હશે. મારે નિકટના પરિચયનું પુણ્ય નથી. એટલે દૂરથી જેટલું જાણ્યું તે ભાવનારૂપે પ્રસ્તુત કર્યું છે. પૂ. શ્રી આચાર્ય ભગવંત રત્નસુંદરજી લિખિત કલિયુગની કમાલપુસ્તકના આધારે છે. અંતે વયોવૃદ્ધ હોવાથી શુભાશિષ આપું છું. દીર્ધાયુ બનો, નિરપેક્ષ સેવાકાર્ય કરતા રહો. આત્મઉપાસનાને સેવતા રહો. હજી સુધી લેખનમાં નામ નથી આપ્યું. આ કથન કોને માટે છે અંતે નામકરણ કરું છું આ છે. કુમારભાઈ વી. શાહ સેવાભાવી સાથે ઉત્તમ ઉપાસક, વંદન હો. ક્ષમા યાચના સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy