SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ મળ્યો. એકવીસ ઉપવાસ. સવારે વલ્લભભાઈને વાત કરી. વલ્લભભાઈ કહે ડોકટર રજા આપે પછી વિચાર કરશું? બાપુ કહે : ડોકટર મોટા કે ભગવાન? મને ભગવાને જવાબ આપ્યો છે. બાપુના ઉપવાસ શરૂ થયા. આખો દેશ ચિંતામાં હતો. મહાદેવભાઈ બાપુની સેવામાં ખડેપગે હાજર હતા. નબળાઈ વધતી હતી. એક દિવસ એક ગરીબ માણસ તેના બાળકને લઈને આવ્યો. મહાદેવભાઈએ પૂછયું શું કામ છે? માણસ કહે આ બાળકને બાપુના પગ ધોઈને પાણી પીવરાવું તો સાજો થાય. આટલી મહેરબાની કરો. મને પગ ધોઈ પાણી લેવા દો. મહાદેવભાઈ અમે માને? બાપુને કાને કંઈ અણસાર આવ્યો. મહાદેવ, શું છે? મહાદેવભાઈએ વાત કરી બાપુએ પિતા પુત્રને અંદર બોલાવ્યા. ભાઈ માણસ કરતા ઈશ્વર મહાન છે. તેમને પ્રાર્થના કર પણ પગ ધોવાની પ્રથા અને ચમત્કારમાં બાપુ આવે ખરા! સામાન્ય માનવને આવી મહાન તક જતી કરવી કઠણ છે, છાપામાં સમાચાર આવે, મનને મીઠું લાગે, પછી દેશ ભૂલાઈ જાય, ચમત્કાર વધી જાય પણ બાપુ તો પવિત્રતાનો પુંજ હતા. જાગૃત જીવન હતું તે ઉંઘમાં પણ આવી ક્ષુલ્લક મહાનતા ઈચ્છે નહિ. આથી તો તે મહાત્મા થયા. મોહનદાસ તો મટી ગયા હતા? છે૨૬. આ ચમત્કાર નથી જીવનનો મર્મ છે આત્મશક્તિને પ્રગટ થવા આત્માની જ પવિત્ર શક્તિ કાર્યકારી છે, તેને માટે બાહ્ય પદાર્થોમાંથી સુખબુદ્ધિ છોડવી પડે છે. અંતરંગ ભાવનાની પવિત્રતા પ્રગટાવવી પડે છે. આ અંતરંગ શક્તિ એટલે નિષ્કષાય જીવન, આહારાદિ સંજ્ઞાઓના સંયમથી દેહાધ્યાસનું છૂટી જવું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૪૯
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy