SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વરેલા હતા. રાજ્યના ખટપટી માણસોને એક નીતિમત્તા કેમ પરવડે? એટલે તેઓ વજીરના દોષને શોધતા રહ્યા. વજીરપદે બેસતા તેમણે રાજાને કહ્યું જો કદાચ મારે આ પદ છોડવાનું આવશે તો હું મારી ચીજવસ્તુ લઈ જઈશ. તમારું તમને સુપ્રત કરીશ. થોડો વખત તો ઠીક ચાલ્યું. પણ ખટપટી માણસોને આ સાત્ત્વિક માનવ કેમ પરવડે ! વજીર પ્રામાણિકતાથી પ્રશંસા પામતા હતા. આ પેલા ખટપટી માનવોને કેમ ગમે? એકાદ એવો પ્રસંગ ઊભો કર્યો, રાજા કાનના કાચા અને મગજના ઝનૂની. રાજા અમીરખાનથી નારાજ રહેવા લાગ્યા. અમીરખાન સમજી ગયા અને શરત મુજબ પોતાનો સામાન લઈ વિદાય થઈ પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા. આઠ ઊંટ પર સામાન ભરેલો હતો. રાજયની નજીક આવી ગયા. રાજયની હદમાં પ્રવેશ કર્યો અને ચિત્તમાં ચમત્કૃતિ થઈ. પત્નીને કહે, ગુરુજીના પગરખા દેખાય છે. પત્ની પતિનો હૃદય વૈભવ જાણતી હતી. ગુરુભક્તિ જાણતા હતા. થોડાક આગળ ગયા પછી તો પગરખા સ્પષ્ટ દેખાવા લાગ્યા. બન્યું હતું એવું કે ગુરુ પાસે એક ગરીબ બ્રાહ્મણ ગયો હતો. દીકરીના લગ્ન હતા. કંઈ સાધન ન હતું. તે ગુરુદર્શને ગયો. અને તકલીફ કહી. અહીં ગુરુ પણ આકિંચન્યા હતા. ફકત પગરખા હતા. તે આપી દીધા. બ્રાહ્મણની શ્રદ્ધા કેવી? તેને વિકલ્પ થતો નથી કે પગરખાથી લગ્ન થશે? તે તો માથે મૂકીને ગુરુને પ્રણામ કરી હર્ષભેર ચાલતો થયો. તે બ્રાહ્મણને માથે પગરખા સહિત અમીરખાને જોયો. અરે જો ગુરુના પગરખા લઈ પેલો માણસ આવી રહ્યો છે. બ્રાહ્મણ નજીક આવ્યો કે અમીરખાન ઊંટ પરથી નીચે ઉતરી તેની પાસે ગયા. ભાઈ ! ગુરુના પગરખા લઈ ક્યાં ચાલ્યો ? બ્રાહ્મણે વિગત જણાવી. અમીરખાને કહ્યું આ પગરખા મને આપી અને આઠ ઊંટ લઈ જા તેમાં લગ્નની બધી જ સામગ્રી છે. જાણે આઠે કર્મને દૂર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૩૭
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy