SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર ટકે તો ટકે પણ તેની ઈચ્છા નથી. ભય તો તેમનાથી ઘણો દૂર છે. નિદ્રારૂપી પ્રમાદ તો ઉજાગરદશામાં પરિવર્તિત થયો છે. પરિગ્રહ તો તેમને સ્પર્શતો નથી. પૂર્વનું આરાધકપણું અને આ જન્મમાં ગર્ભમાંથી આ લક્ષણો અવતરિત થયા. ત્રણ વર્ષે કોઈ સદ્ગુરુને હાથ ચઢી ગયા. જોગી સ્વરૂપે સહજ આભામંડળ રચાતું ગયું. સાત ધાતુ જાણે પ્રભુની પ્રાર્થનાનું સાધન બની. રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત. શ્રી જીનરાજ પ્રભુભક્તિથી રંગાયેલી સાત ઘાત પણ પવિત્રતા પામી જેથી તેમનું આભામંડળ પવિત્રતા પામ્યું. તેમની એ ઑરામાં આવતા જીવો સહેજે બોધ પામતા. એક જટાધારી જોગી હતા. ત્રણ વર્ષે ગૃહત્યાગ પછી જટા તો વધતી ગઈ છ દસકામાં જટા સાપની જેમ ગોળ વિંટળાઈને મોટી થઈ ગઈ. પણ જૂઓને માટે ઘર થઈ. રોજે જાગી જૂઓ વીણે પણ આ તો જોગીની જટાની જૂ વીણીને કેટલીક સાફ કરે ? અચાનક એકવાર આ માર્ગે એક વાળંદ નીકવ્યો. જોગીના પવિત્ર આભામંડળે તેને આકર્યો તે જોગી પાસે ગયો. જોગી બે હાથે જૂઓને કાઢે, વાળંદ તેમની પાસે ગયો. જોગી મહારાજ તમારી જટાની જૂ વીણવાથી જશે નહિ. તો શું કરું ? વાળંદ કહે પંદર મિનિટ માથું નમાવી મારી સામે બેસી જાઓ, જોગીનો છૂટકો ન હતો. જોગી તો બેસી ગયા. પેલા ભાઈ વાળંદ હતા. સાથે સામગ્રી હતી. તેમણે હથિયાર ચલાવ્યું. પંદર મિનિટમાં માથું તો ચળકતા વાસણ જેવું બની ગયું. એક જૂ પણ રહેવા ન પામી જોગી પ્રસન્ન થયા. વાળંદ તેમની સામે બેઠો. જોગી સમજી ગયા કે તેની કંઈક અપેક્ષા છે. જોગીને યાદ આવ્યું કે હીરાનો સોદાગર કીમતી મણિ મૂકી ગયો હતો, તે પેલા વૃક્ષ નીચે માટીમાં ઢાંકી દીધો હતો. તેમણે વાળંદને ઈશારો કર્યો કે તે જગામાં ખોદ વાળંદે, તેમ કર્યું. માટી દૂર કરી, ઝગમગતો હીરો હાથે ચઢયો, સાફ કર્યો, ઘણા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૩૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy