________________
સમય આવે ન્યાય તોળશે ત્યારે શું થશે? ધનના મદમાં આવો વિચાર કદાચ ઈશ્વર તેમને પહોંચાડી શકશે?
હે જીવમાન છે તને આ માનવદેહ કાકતાલીય ન્યાયે મળ્યો હોય, કાગડો ડાળ પર બેસે અને ડાળ તૂટે, કાગડાને થાય કે મારાથી તૂટી. તારી આકૃતિ પશુની જેમ આડી નથી, ઉભી છે છતાં શા માટે આદત વશ આડી ચાલે ચાલે છે? ઈન્ડિયાધીન? ક્રોધાદિ કષાયને આધીન? કુટેવોને આધીન? તું સત્સંગમાં જનારો તને વધુ કહેવાનું ન હોય.
સત્સંગ તને આત્માના વૈભવ તરફ લઈ જશે. સંતોની એવી શક્તિ છે કે તેને એક પળમાં આત્મલોકમાં લઈ જાય. તારી તૈયારી છે ને? સંતોએ કહેલા સતુમાં શ્રદ્ધા મૂક. તારા બધા જ દોષો દૂર થતા ઝળહળા કરતું આત્મતેજ તને પ્રાપ્ત થશે. ભલે વીજળીના ચમકારા જેટલો સમય હોય પણ તને સત્યનો પ્રકાશ મળશે.
સનું ચિત્ત ચિંતન રે કરવું
સત્ વાયક નિશ્ચય ઉચ્ચરવું. સમુદ્રનું એ બિંદુ તારી જિદ્વાને સ્પર્શે, ખારાશનો અનુભવ થાય, ત્યારે તને વિશ્વના તમામ સમુદ્રના જળનો સ્વભાવ અનુભવમાં આવશે. તેમ એક પળ, ઘડી કે આધી ઘડી સંતના સમાગમથી, દેહભાવનું તાદાભ્ય છૂટી જશે અને આત્માનું સત્ એક ક્ષણ માટે તું અનુભશે. આત્માનુભૂતિની એ ચમત્કૃતિ છે. બધી પળોજણ મૂકીને એ માણી લે.
બેર બેર નહિ આવે અવસર બેર બેર નહિ આવે.
૦૯. સ્વર્ગ-નરક કયાં છે ?
વસંતપુરના રાજા ધર્મ પ્રિય હતા. તેમને એક પુત્ર હતો. રાજા કરતા રાજપુત્રોનો રુઆબ વધુ હોય છે. રાજાને પ્રજાના હિતનું લક્ષ હોય. યુવાન રાજકુમારને હું રાજકુમાર છું તેવો અહમ્ હોય છે. રાજા રાજકુંવરને યોગ્ય શિક્ષણ માટે ગુરુકુળમાં મૂકવા ગયા,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪)