________________
જોઈ માતંગ ઉત્તેજિત થઈ ગયો. તે તો રથ પાસે પહોંચી ગયો અને બોલવા લાગ્યો આતો મારો પુત્ર છે. જોકે સૈનિકોએ તેને દૂર કર્યો. (પછી કથા લાંબી છે આપણે મેતાર્ય મુનિને જાણવાના છે.)
આ બનાવથી પ્રસંગમાં સંકટ ઉભુ થયું. આ સાંભળી વિરૂપાને મૂછ આવી ગઈ. આઘાતથી તે ગુજરી ગઈ. શેઠાણી પણ મૂછવશ થયા. આખરે તે પણ ગુજરી ગયા. એ સમયે લગ્ન મુલતવી રહ્યા અભયમંત્રીની વિચક્ષણતાથી થોડા દિવસમાં પ્રસંગ થઈ ગયો. મૂળવાત એ હતી મેતાર્ય કોનો પુત્ર? છેવટે મેતાર્યે વિરૂપા પાસેથી સાંભળેલી હકીકત અભયમંત્રી પાસે પ્રગટ કરી કે પોતે માતંગ-વિરૂપાનો પુત્ર છે. મિત્રતાના કારણે વિરૂપા એ દેવશ્રીની સાથે કોઈપણ અપેક્ષા વગર સંતાનોની અદલા બદલી કરી હતી.
કાળના પ્રવાહની બલિહારી છે. મેતાર્યે જાહેર કર્યું કે હવે તે મેતારજ તરીકે ઓળખાશે. શ્રેણિક રાજાની એક કન્યા સાથે આઠ પત્નીઓ સહિત પઘનિલય દેવી મહેલ જે શ્રેણિકરાજાએ પોતાની કન્યાને ભેટ આપેલો તેમાં મેતારજ દેવી સુખ ભોગવી રહ્યા છે.
અભયમંત્રી અને મેતારજની મિત્રતા પણ ગાઢ હતી જ્યારે પ્રભુ મહાવીર પધારતા ત્યારે બોધ પામી બંને ચર્ચા કરતા કે સંયમ લેવા જેવો છે. પણ અભયમંત્રીને શ્રેણિકરાજા રજા આપતા ન હતા. પિતૃપ્રેમ, ફરજ, અભયમંત્રીને રોકતી હતી. પરંતુ રાજગૃહમાં પુનઃ પ્રભુ પધાર્યા અને અભયમંત્રીને મોકો મળી ગયો. તેઓ દેવચંદ્રમુનિ થયા. પછી મેતારજને યાદ આપવા સંદેશો મોકલ્યો પણ આઠ સુંદરીઓ સાથેનો સુખભર્યો સહવાસ છૂટયો નહિ. મેહલ તો દૈવી રચના જેવો હતો તે સુખાકારી કેમ છૂટે !
વળી થોડો સમય ગયા પછી દેવચંદ્રમુનિ પુનઃ પધાર્યા. દરવાને મેતારજને ખબર આપ્યા. ત્યારે તેઓ જળકુંડમાં આઠ સ્ત્રીઓથી વિંટળાયેલા હતા. પણ મિત્ર જાતે જ આવ્યા હતા. વસ્ત્ર વિંટાળી પત્નીઓને કહ્યું હમણાં આવું છું. અને મહેલની નીચે આવ્યા. દેવચંદ્રને જોયા પછી કંઈ પાછા વળે ! તે તો ચાલ્યા મિત્રની સાથે ઉપવનમાં દીક્ષિત થઈ ગયા. મૈત્રીનું ઝરણું વહ્યું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૩