SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૦૧. મૃત્યુને મુલતવી રખાતું નથી કે મૃત્યુને મુલતવી રખાતું નથી. એકવાર તેનો સ્વીકાર કરી જીવનને પરમ સાથે જોડ. તો મૃત્યુનું મૃત્યુ થશે. એક રાજાને રાત્રે સ્વપ્નમાં એક છાયા દેખાઈ રાજાએ પૂછ્યું કોણ છે? છાયા કહે હું મૃત્યુની દૂતી છું સાત દિવસ પછી તને લેવા આવવાની છું માટે સ્થળ જોવા આવી છું. આ સાંભળી રાજા પ્રથમ તો મૂંઝાયો. છતાં ક્ષત્રિય હતો, સાત દિવસની વાર છેને? તેણે પોતાના જેવા પાંચ પૂતળા બનાવ્યા. સાતમે દિવસે પાંચ પૂતળા ગોઠવી દીધા. એકમાં પોતે ભરાઈ ગયો. પેલી દૂતી આવી. પ્રથમ તો સમાન પાંચ પૂતળા જોઈ તે વિચારમાં પડી કે આમાં રાજા કોણ બધા જ પૂતળા જીવંત રાજા જેવા લાગતા હતા. તેને એક ઝબકારો થયો. પૂતળા જોઈ બોલી, પૂતળા બધા સમાન છે પણ એક પૂતળામાં જરા ખામી છે. રાજાએ આ સાંભળ્યું, હવે તે મૃત્યુને ભૂલી ગયો. અહંકાર બોલ્યો, પૂતળામાં ખામી? કયા પૂતળામાં છે? હોય જ નહિ. અને હુંકારના અવાજથી દૂતીએ જાણી લીધું કે કયા પૂતળામાં રાજા છૂપાયો છે, એને પકડી લીધો યમદ્વારે પહોંચાડી દીધો. ક્ષણ ક્ષણ કરતા તો તારું આયુ વહી જાય, રાતને દિવસ તને એમ કહી જાય. શાસ્ત્રકારો, જ્ઞાનીઓ કહે છે, ભાઈ તારે મૃત્યુ સાથે મિત્રતા હોય, તે કયારે ય આવશે નહિ, આવશે તો તેને ભગાડવાની તાકાત મારામાં છે. તો નિરાંતે સૂઈ જજે. " ભાઈ આવા ભ્રમમાં ના રહેતો. તીર્થકરો નિર્વાણ પામ્યા. તેમના દેહની ધાતુઓ પવિત્ર હતી, તે શરીરો દુર્ગધી થવાના ન હતા. છતાં રાખ્યા નથી, તો તારું આ શરીર જીવતા કે મરતા દુર્ગધવાળુ મલિન છે. તે રખાવાનું નથી. તેને જીવાડવા કેટલો શ્રમ કરે છે. એ શરીરમાં આત્મતત્ત્વ પવિત્ર છે. સુખનું ભાજન છે. તેના વડે તું સંચાલન કરે છે, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૨૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy