SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ હનુમાને તે હારનાં મોતીને હાથવડે તોડયું. એક બે ત્રણ મોતી તોડતા રહ્યા સીતા કહે, અરે હનુમાન આ શું કરો છો, આવા કિંમતી મોતીને તોડો છો? હનુમાન કહે હું જોતો હતો કે આ મોતીમાં રામ છે? રામ વગરનો હાર કેવી રીતે પહેરું? સભાના સૌ અને સીતાજી સમજી ગયા કે રામનો જવાબ યથાર્થ હતો. જેને રામ મળી ગયા તેને હવે શું આપે? “મન ધરિયા મન ઘરમાં થોભા દેખત નિત્ય રહેશો સ્થિર થોભા મન કુંઠિત અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. -ઉ. ચશોવિજ્યજી રામ-પ્રભુ કયાં વસે ? મલિન મનમાં ન વસે, પવિત્ર મનમાં વસે. ભક્તિ દ્વારા મન પવિત્ર થાય. સર્વ મૈત્રીથી મન પવિત્ર થાય. સૌમાં રામ જુઓ, મન પવિત્ર થાય. ત્યારે મનમાં રામ વસે. મીરાં કહે પ્રભુ હૃદયમાં વસ્યા પછી સંસાર સૂકાઈ ગયો હવે દરિયાના તોફાનમાં (મોહના) તરવાનો-ડૂબવાનો ડર શાનો? સંસારના સુખની રજમાત્ર ઈચ્છા જ નથી. જેની પાસે પ્રભુ ભક્તિ જ જીવન છે. તે પ્રભુ ભક્તિથી વિભક્ત કેમ હોય? ગૃહસ્થ-પદવી ધારી માનવામાં પણ પ્રભુ વસ્યા છે ત્યાં તે તેમના કાર્યમાં પ્રગટ થાય છે. શ્રી રાધાકૃષ્ણન મોટા વકીલ, તેમને રાજદ્વારી કેદીનો કેસ ચલાવવાનો હતો. તે દિવસે એક ધનવાન આવ્યો. તે કહે તમને હું લાખો રૂપિયા આપું તમે મારો કેસ હાથ પર લો તમને રાજદ્વારી કેસમાં શું મળવાનું છે? વકીલે કહ્યું હું ત્યાં ધન મેળવવા જતો નથી. મારે તમારું ધન જોઈતું નથી. હું સત્યને જીવાડવા જઉં છું. અને તરત જ નીકળી ગયા આ ઘરતી કોનાથી ટકી છે? આવા માનવોના સત્ત્વથી ટકી છે. પૂ. બાપુના જીવનમાં પ્રેમરૂપે રામ વસ્યા, હનુમાનના હૃદયમાં ભક્તિરૂપે વસ્યા. મીરાના હૃદયમાં ભક્તિથી વસ્યા. વકીલના હૃદયમાં સાત્વિકભાવથી વસ્યા. આમ રામ યાને હૃદયની પવિત્રતા પ્રગટવાના વિવિધ રહસ્યો છે. જીવનમાં એક રહસ્ય જરૂર ધારણ કરવું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૨ ૪
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy