SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે સગપણ રાખી સુખ માનતો હતો. એકમાં જ સુખ છે. માટે હવે હું સંયમના માર્ગે પ્રયાણ કરીશ. તેમની એકત્વ ભાવના એટલી તીવ્ર થઈ, વૈરાગ્યની માત્રા દૃઢ થતી ગઈ. રાજાએ નિર્ણય કર્યો કે તેઓ પ્રાતઃકાલે સંયમ માર્ગે પ્રયાણ કરશે. અને દાહજવર પણ શમી ગયો. વૈરાગ્ય ભાવના એટલી તીવ્ર હતી કે ઈદ્રનું આસન કંપી ઉઠયું. ઈંદ્ર રૂપ વિક્ર્વીને નમિરાજર્ષિ પાસે આવ્યા અને સમજાવવા લાગ્યા કે રાણીઓ યુવાન છે. રાજકુમારો બાળવયના છે. સૈન્યને વ્યવસ્થિત કરો પછી સંયમ ગ્રહણ કરજો. નમિ રાજાની વૈરાગ્ય-એકત્વભાવના અતિ તીવ્ર હતી તેથી પોતાના મનોરથમાં દઢ રહ્યા. પ્રાતઃકાળે એક રાજકુમારનો રાજયાભિષેક કરી, પોતે સંયમને માર્ગે ચાલી નીકળ્યા. આ કથા એવા કાળ અને સ્થળની છે કે વિદ્યાધરોનું આગમન થતું. ઈંદ્ર પણ આવતા. એક , આ સર્વે મારાથી જુદા છે. એમ એકત્વભાવના ભાવતા નમિરાજાનો સંસારભાવ દૂર થયો સંયમ માર્ગે પ્રયાણ કરી મુક્તિને વર્યા. રાણી સર્વ મળી સુચંદન ઘસીને ચર્ચવામાં હતી. ભૂઝયો ત્યાં કકળાટ કંકણ તણો શ્રોતી નમી ભૂષતી સંવાદે પણ ઈંદ્રથી દેટ રહ્યો વૈરાગ્ય સારું કર્યું એવા એ મિથિલેશનું ચરિત્ર અગે સંપૂર્ણ થયું. આ ૬૮. મુનિ બળદેવ કરણ કરાવણ અનુમોદન સરખા ફળ નિપજાવ્યો. સત્કાર્ય, ધર્મભાવના, તપાદિ કરવું, કરાવવું અને તેને અનુમોદન આપવું તે મનની ઉત્તમ ભાવનાને કારણે સરખું ફળ આપે છે. શ્રી કૃષ્ણના સમયનું જૈનદર્શન અન્વયે આ દૃષ્ટાંત છે. વૈપાયન સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૧૯
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy