SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 248 છે || ભક્તામર સુભ્ય નમઃ | શબ્દાર્થ નાથ – હે સ્વામી - હે નાથ ! મને – હું માનું છું કે રિહરાવ: – હરિહર વગેરે લોકિક દેવો, વરમ્ – તે સારું જ થયું, તૃષા: – મારાથી જોવાયા – મેં જોયા, વેધુ વૃષ્ટપુ – જેમના જોવાથી - જેમના દેખાવ ઉપરથી, દેવયમ્ – મારું હૃદય, ત્વયિ તોષમ ણત – આપનામાં સંતોષ પામે છે, ઉમ્ – વિશેષ શું ?, વિક્ષિતેના મવતી – આપને જોવાથી, વેન – જેથી, જેના વડે, મુવિ - ભૂમંડલમાં, ન્ય: વર્િ – બીજા કોઈ પણ, અન્ય કોઈ મવાન્તરે માં – ભવાંતરમાં પણ - હવે પછીના ભાવોમાં પણ, મનો ન દરતિ – મનને હરી શકશે નહિ, મનનું હરણ કરતો નથી. ભાવાર્થ : “હે નાથ ! હરિ, હર આદિ લૌકિક દેવોને મેં જોઈ લીધા, તે સારું જ થયું, એમ હું માનું છું. કારણ કે તેઓને જોયા પછી મારું હૃદય આપનામાં જ સંતોષ પામે છે. વિશેષમાં આપને જોવાથી મને એ લાભ મળ્યો કે હવે સમસ્ત ભૂમંડલમાં આ ભવ કે હવે પછીના ભાવોમાં અન્ય કોઈ પણ મારા મનનું હરણ કરી શકશે નહિ.” વિવેચન : ગાથા ૨૧ આગળના શ્લોકમાં સૂરિજીને પ્રભુનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ લાગ્યું છે, અને તેઓ પરમ પદ પામવા પરમાત્માને અનુસરી રહ્યા છે. પ્રથમ તેઓને શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ થઈ ન હતી અને તેઓ કોઈ એક દેવ પ્રત્યે મન સ્થિર કરી શક્યા ન હતા. તે સમયે તેમણે જુદા જુદા દેવો વિશે અધ્યયન કર્યું હતું. અર્થાત્ અન્ય દેવો વિશે જ્ઞાન મેળવવામાં સમય પસાર કર્યો હતો. આથી સૂરિજીને - રિયર આવે છે કે તેમણે અત્યાર સુધી શ્રી જિનેશ્વરદેવના સાનિધ્ય સિવાયના અન્ય દેવો વિશે જાવામ સમય પસાર કર્યો તે યોગ્ય હતો કે અયોગ્ય ? આ વિશે મનોમંથન કરતાં તેમને લાગ્યું કે જે થયું તે યોગ્ય જ થયું છે, શા માટે આવું થયું તે યોગ્ય થયું છે તે તેમણે આ શ્લોકમાં સંકોચ વિના રજૂ કર્યું છે. સ્તોત્રકાર સુરજી દે છે કે, હે નાથ ! હે દેવોત્તમ ! મેં હરિહર વગેરે લોકિક દેવોને જોયા. તે એક રીતે સારું જ થયું છે, કેમ કે તેમને જોયા પછી હવે મારું હૃદય તમારાથી જ સંતોષ પામે છે.’ હરિહર વગેરે દેવોની મૂર્તિ જોઈએ તો કોઈના મુખ પર હાસ્ય છે. તો કોઈના મુખ પર શૃંગારની ગયા છે, તો વળી કોઈના મુખ પર ક્રોધ ભભૂકી રહ્યો છે. વળી કોઈની પાસે સંહારક શસ્ત્રો છે તો કોઈની પાસે રાગોત્પત્તિના પરમ કારણરૂપ સ્ત્રી ઊભેલી છે. તેમનાં આસનો ચિત્રવિચિત્ર છે. જ્યારે તમે તો સુખાસન પર યોગમુદ્રાએ બિરાજી રહ્યા છો અને તમારા મુખ પર અપૂર્વ શાંતરસ ઝળકી રહેલો છે. આમ બંનેનાં દર્શનમાં તમારું દર્શન જ મને શ્રેષ્ઠ લાગ્યું છે અને તેથી મને જે સંતોષ તથા શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, તે અપૂર્વ છે. એનો લાખમો ભાગ પણ અન્ય લૌકિક દેવોનાં દર્શનથી થતો નથી.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy