SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ - જ્યાં મંદિરો ઉપરની ધજાઓ હવાથી હલતી હાલતી ભવિજીવને પાસે બોલાવીને પૂછે છે કે હે ભાઈ તમે કાણે ઠાણે કેમ ભમો છે ? ફરો છે? તમારે જે કર્મક્ષય ” જોઈએ છે તે મારી પાસે આવવાથી જરૂર થશે. માટે મારી પાસે જ આવો. હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ૧૨ - ચૌમુખ – ચઉગતિ દુ:ખ હરે, સોવનમય સુવિહાર, તે તીર્થસ્વર પ્રણમિયે અક્ષય સુખ દાતાર, છે જે તીર્થની ચૌમુખ પ્રતિમા ચાર ગતિના દુ:ખને હરે છે. અને જેની ઉપર રહેલાં સુવર્ણનાં મંદિરો છે તે અક્ષય સુખને આપનાર છે. તે તીર્થને પ્રણામ કરો . ૧૩ – કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ: આપણા આત્મા ઉપર અનાદિકાળથી કર્મરૂપી કાટ ચઢી ગયો છે. તેને જડમૂલથી કાઢવા માટે જે ગિરિરાજનું ધ્યાન અગ્નિ સમાન છે. તેવા ગિરિરાજને પ્રણામ ક્યો . ૧૪ - ભવ મકરાકર સેતુ: – ભવ એટલે સંસાર , એ સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે જે તીર્થ પુલ સમાન છે. તે શ્રી શત્રુંજયને હે ભવિ ! તમે ભાવથી ભજો – આરાધના કરે . ૧૫ - કુમતિ - કૌશિક જેહને – દેખી ઝાંખા થાય, તે તીર્થેશ્વર પ્રણમિયેસવિ તસ મહિમા ગાય, જે તીર્થ સર્ય જેવું છે. જેમ સૂર્યને દેખીને ઘુવડો ઝાંખા થાય છે. તેમ આ તીર્થરૂપી સૂર્યને જોઈને કુમતિ રૂપી - ઘુવડે ઝાંખા થાય છે. જેથી બધા તેનો મહિમા ગાય છે. તેવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૧૬ -શિવવહુ વરવા સંપ એગિરિ :-મોક્ષરૂપી સીન વવા માટે આ ગિરિરાજ લગ્નના મંડપ જેવો એ વંદે શત્રુંજયાખ્યું ક્ષિતિધરકમલા કંઠ શૃંગાર હારમા ૧૭ – પર્વત રૂપી સ્ત્રીના કંઠની શોભારૂપ હાર જેવા શ્રી શત્રુંજય નામના ગિરિને હું વંદન કરું છું . ૧૮ - ઊંચાં શિખરોરૂપી કમળોથી યાત્રિકોનો જાણે ઊંચા યશનો કોશ-સમૂહ નહોય તેવો શ્રી શત્રુંજય શોભે છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy