SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ તે ચૌમુખ પ્રતિમા ચારગતિના દુ:ખને દૂર કરીને અક્ષય સુખને આપે છે. તેવા તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરીએ. ઇષ્ણ તીરથ મોટા થયા, સોલ ઉદ્ધાર સાકાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અંસખ્ય વિચાર; – જગતના દરેક પદાર્થ સડણ – પણના સ્વભાવ વાળા છે. તેથી મંદિરો વગેરે જીર્ણ બને. ત્યારે તેનો ઉદ્ધાર કરવો આવશ્યક બની જાયછે. આ ગિરિરાજ ઉપર મોટા મોટા સોલ ઉદ્ધારો થયા છે. વચમાં નાના ઉદ્ગારો તો અસંખ્ય થયા છે. આવા તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરંત; –ખ –૮૬ – – – ૮૭ – જે ગિરિરાજનું સ્મરણ કરતાં તેના સ્મરણના પ્રતાપે ભવ્ય જીવોના દ્રવ્ય અને ભાવ શત્રુઓનો નાશ થાય છે. આ કારણે જેનું શ્રીશત્રુંજ્ય નામ પડયું છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ. પુંડરીક ગણધર હવા, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીક ગિરિનામ; આ ગિરિરાજ પર આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજી આ તીર્થમાં પ્રથમ સિદ્ધિપદને પામ્યા માટે આ ગિરિ પુંડરીક ગિરિ એવા નામથી ઓળખાય છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. કાંકરે કાંકરે ઇણગિરિ; સિદ્ધ હુવા સુપવિત્ત; મલ દ્રવ્ય ભાવ વિશેષથી,જેહથી જાયે દૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખપૂર; – – ૮૮ – તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધ ક્ષેત્ર સમચિન આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાય પવિત્ર આત્માઓ સિદ્ધ થયા છે. આથી આનું નામ સિક્ષેત્ર થયું .આવા તીર્થેશ્વરને સમતાયુક્ત ચિત્તથી નમન કરીએ. -ખ ૨૯ – - - ૯૦ –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy