SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ જલચર–ખેચર-તિરિય—સવે, પામ્યા આતમ ભાવ: તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારણ નાવ. -ખ-૧૫ જલમાં રહેનારા જીવે – આકાશમાં ઊડનારા જીવો. અને ભૂમિ પર ચાલનારા તિર્યંચ જીવો (પશુઓ) આ તીર્થને સેવતાં પોતાના આત્મભાવને મેળવે છે. કારણ કે આ તીર્થ સંસારસમુદ્રને તરવા માટે નૌકા સમાન છે. માટે તે તીર્થેશ્વરને પ્રણામ કરો. સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિય, દીજે ગતિચાર . -ખ.-૧૬ જેણે આ તીર્થની સંધ સાથે યાત્રા કરી છે. અને જેણે આ તીર્થ ઉપર જીર્ણ મંદિરોનો ઉદ્ધાર ક્યું છે. તેણે પોતાને માટે ચાર ગતિનો છેદ ર્યો છે. એટલે ચારગતિમાં ભ્રમણ કરવા રૂપ સંસારનો નાશ કર્યો છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરશે. પુષ્ટિ – શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થધ્વર પ્રણમિયે મિથ્થામતિ સવિ જાય. –ખ.-૧૦ જે ગિરિરાજના ધ્યાનથી આત્મામાં રહેલો એવો વૈરાગ્યનો રંગ (પ્રગટ) પુષ્ટ થાય.અને જેના ધ્યાનથી આત્માની મિથ્યામતિ – અવળી બુદ્ધિ ચાલી જાય. તે તીર્થસ્વરને ભાવથી નમસ્કાર કરીએ. સુરત – સુરમણિ – સુરગવી, સુરઘટ-સમજસ ધ્યાન; તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. –ખ.-૧૦ જે ગિરિરાજનું ધ્યાન – લ્પવૃક્ષ – ચિંતામણિરત્ન – કામધેનુ ગાય અને કામકુંભથી પણ અધિક વસ્તુઓ મેળ વી આપે છે. અને જેના ધ્યાનથી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટે છે તે તીર્થસ્વરને પ્રણામ કરો. સુરલોકે – સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીશ્વર પ્રણમિય, ગાવે જેહના શ્લોક –ખ.–૧૯ દેવલોકમાં ઘણી દેવાંગનાઓના ઘણા સમૂહો ભેગા થઈને જે ગિરિરાજના ગુણગાનના શ્લોકો ગાય છે તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy